9 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કપૂર ફેમિલી હંમેશા મહત્ત્વની રહી છે. આજે, આ પરિવારના ઘણા મોટા નામ આ દુનિયામાં નથી, પરંતુ આ પરિવારમાં જન્મેલા કલાકારો આખી દુનિયામાં લોકપ્રિય છે. થોડાં વર્ષ પહેલાં જ રાજ કપૂરના પુત્ર અને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રિશી કપૂરે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના મૃત્યુ પછી આખો કપૂર પરિવાર તૂટી ગયો. રિશી કપૂરની પત્ની નીતુ પણ તેમના નિધનથી ખૂબ જ દુ:ખી થઈ ગઈ હતી. અને તે ઘણા પ્રસંગોએ ભાવુક દેખાઈ હતી. જો કે, આ પછી તેણે બોલિવૂડમાં પણ કમબેક કર્યું. ત્યારે એક કાર્યક્રમમાં અભિનેત્રીએ જણાવ્યું છે કે તે સમયે તેના મનમાં શું ચાલી રહ્યું હતું અને આટલા લાંબા સમય બાદ તેના માટે પુનરાગમનનો આ સંઘર્ષ કેવો હતો.
ઋષિ કપૂરના મૃત્યુ બાદ પત્ની નીતુ કપૂરને ટ્રોલ્સનો ડર લાગ્યો, કહ્યું- હું ધ્રૂજતી હતી
ઋષિ કપૂરના નિધન બાદ કપૂર પરિવાર ખૂબ જ દુઃખી હતો. ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સની ત્રીજી સિઝનમાં ઋષિ-નીતુ કપૂરની પુત્રી રિદ્ધિમા કપૂર સાહની આ વિશે વાત કરતી જોવા મળે છે. આ વખતે નીતુ અને તેનો ભાઈ રણબીર કપૂર પણ રિદ્ધિમાને સપોર્ટ કરવા માટે શોમાં જોવા મળે છે.
જ્યારે માતા અને પુત્રી ઋષિ કપૂરના મૃત્યુ વિશે વાત કરી રહ્યા છે, ત્યારે નીતુ કપૂર કહે છે કે કેવી રીતે તે દિગ્ગજ અભિનેતાના મૃત્યુ પછી ફરીથી કામ કરવાથી ડરતી હતી. તે લોકોના ટ્રોલિંગથી ડરતી હતી, તે ઘણીવાર આ વિચારથી ધ્રૂજી જતી હતી.
નીતુ કપૂર કેમ પુનરાગમન કરવા માંગતી ન હતી? ઋષિ કપૂરના કાર્યકાળમાં નીતુ કપૂરે ફિલ્મોમાં વધુ કામ કર્યું ન હતું. બંને છેલ્લા 2 દાયકામાં 1-2 ફિલ્મોમાં સાથે જોવા મળ્યા હતા. પરંતુ આ સિવાય તે 1983માં આવેલી ફિલ્મ ‘જાને જાન’ બાદથી કોઈ ફિલ્મનો ભાગ નથી બની અને લાઈમલાઈટથી સંપૂર્ણપણે દૂર રહી છે. પરંતુ ઋષિ કપૂરના મૃત્યુના બે વર્ષ પછી જ નીતુએ પુનરાગમન કર્યું. અભિનેત્રીએ કહ્યું કે તે આ કમબેક કરવા માંગતી નહોતી. તેની પાછળનું કારણ એ હતું કે તેમને ડર હતો કે તેઓ ટ્રોલ થઈ શકે છે. ટ્રોલ થવાના ડરને કારણે, તે ફરીથી કેમેરાનો સામનો કરવાની હિંમત એકત્ર કરી શકી ન હતી. જોકે, આ સ્થિતિમાં મને બાળકો રણબીર અને રિદ્ધિમાએ મને પુશ કરી હતી.’
રિદ્ધિમા સાથે વાત કરતાં નીતુ કહે છે, ‘પાપા (રિશી) ગયા પછી હું તૈયાર નહોતી. તમે જાણો છો કે ટ્રોલ કેવું હોય છે. પણ તમે (રિદ્ધિમા-રણબીર) મને પુશ કરી. મેં એક શો કર્યો’ પછી એડ કરી. તે સમયે હું જતા પહેલા ધ્રૂજી જતી હતી’
‘બ્રેક લીધો, પોતાના પર ધ્યાન કેન્દ્રિત કર્યું’ નીતુ કપૂરે ખુલાસો કર્યો કે આ પછી તેણે બ્રેક લીધો અને પોતાની જાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તે કહે છે કે,- ‘જો હું ઘરે જ રહી હોત અને કંઈ ન કર્યું હોત તો હું પાગલ થઈ ગઈ હોત. આજે મને ખૂબ સારું લાગે છે, ગયા વર્ષ સુધી હું આવું અનુભવી શકતી ન હતો.’
આ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું નીતુ કપૂરને 8 વર્ષની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું પસંદ હતું. તેણે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1966માં ફિલ્મ ‘સૂરજ’થી કરી હતી. આ પછી તેણે ‘દો કલિયાં’, ‘યાદો કી બારાત’, ‘ખેલ ખેલ મેં’, ‘દીવાર’, ‘કભી કભી’, ‘મહા ચોર’, ‘પરવરિશ’, ‘હીરાલાલ પન્નાલાલ’, ‘દો દુની ચાર’ અને ‘બેશરમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ 2013માં આવેલી ફિલ્મ ‘બેશરમ’ બાદ તેણે કોઈ ફિલ્મ કરી ન હતી. પછી તેણે 2022માં ફિલ્મ ‘જુગ જુગ જિયો’થી પુનરાગમન કર્યું છે. તેના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો તે ‘લેટર્સ ટુ મિસ્ટર ખન્ના’માં જોવા મળશે.
રિશી કપૂરનું નિધન 30 એપ્રિલ 2020ના રોજ થયું હતું નોંધનીય છે કે, રિશી કપૂરનું નિધન 30 એપ્રિલ 2020ના રોજ મુંબઈમાં થયું હતું. તે સમયે કોરોનાનો સમયગાળો હતો અને પરિવારના સભ્યો ભારે મુશ્કેલીથી તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા હતા. ઋષિ કપૂર ઘણા સમયથી બીમાર હતા