23 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રખ્યાત ગીતકાર અને લેખક જાવેદ અખ્તર હાલમાં ચાલી રહેલા અજંતા ઈલોરા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ઔરંગાબાદ પહોંચ્યા હતા. આ ખાસ તકે હાલમાં જ રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘એનિમલ’ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે આવી ફિલ્મોનું હિટ થવું ખુબ જ જોખમી છે. જાવેદ સાહેબે આ મુદ્દે ખલનાયક ફિલ્મના ગીત ‘ચોલી કે પીછે…’નું ઉદાહરણ પણ આપ્યું હતું.
અજંતા ઈલોરા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના મંચ પર જાવેદ અખ્તર
‘એનિમલ’ ઉપરાંત ‘કબીર સિંહ’નો પણ ઉલ્લેખ કર્યો
‘એનિમલ’ અથવા ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથે સંકળાયેલા કોઈપણ અભિનેતાનું નામ લીધા વિના જાવેદ અખ્તરે કહ્યું, ‘જો એવી કોઈ ફિલ્મ હોય જેમાં કોઈ પુરુષ સ્ત્રીને તેમના જૂતા ચાટવાનું કહે, જો કોઈ પુરુષ સ્ત્રીને થપ્પડ મારે છે તો પણ કહે છે કે બરાબર છે અને આવી ફિલ્મ સુપરહિટ છે એટલે જોખમકારકછે.
જાવેદ સાહેબે પોતાના નિવેદનમાં બે ફિલ્મોને લગતા સીનનો ઉલ્લેખ કર્યો હતો. સૌથી પહેલાં તેમણે રણબીર અને તૃપ્તિ ડિમરી વચ્ચે ફિલ્માવાયેલા ‘એનિમલ’ના વિવાદાસ્પદ સીન વિશે વાત કરી. જ્યારે ફિલ્મ ‘કબીર સિંહ’ના સીન વિશે વાત કરવામાં આવે છે જેમાં શાહિદ કપૂર કિઆરા અડવાણીને થપ્પડ મારે છે.
સંદીપે એનિમલ અને કબીર સિંહ બંને ફિલ્મોનું નિર્દેશન કર્યું છે
પ્રેક્ષકોએ જ ‘ચોલી કે પીછે..’ ગીતને હિટ બનાવ્યું હતું
આ બે ફિલ્મો સિવાય જાવેદ અખ્તરે આનંદ બક્ષીએ લખેલા ગીત ‘ચોલી કે પીછે..’નો પણ ઉલ્લેખ કર્યો હતો. 90ના દાયકાની હિટ ફિલ્મ ‘ખલનાયક’ના આ ગીત વિશે વાત કરતાં જાવેદ સાહેબે કહ્યું, ‘કેટલાક લોકો ગઈકાલના ગીતો પર સવાલ ઉઠાવે છે. હવે ‘ચોલી કે પીછે..’નો જ દાખલો લો. મુદ્દો એ નથી કે 7 લોકોએ મળીને આ ગીત કમ્પોઝ કર્યું હતું અને 2 મહિલાઓએ પરફોર્મ કર્યું હતું. સમસ્યા એ છે કે દર્શકોએ આ ગીતને હિટ બનાવ્યું. ડરાવનારું આ ગીત કરોડો લોકોએ પસંદ કર્યું છે.
જાવેદ સાહેબે કાર્યક્રમમાં ઘણા લોકો સાથે ચર્ચા કરી
ઓડિયન્સના હાથમાં છે કે તેમના માટે શું સારું છે
અંતમાં જાવેદ સાહેબે કહ્યું, ‘આજે જવાબદારી ફિલ્મ નિર્માતાઓ કરતાં દર્શકોની વધારે છે. તમે જે પ્રકારની ફિલ્મો જુઓ છો તે પણ તમારી જવાબદારી છે. આનાથી નક્કી થાય છે કે ભવિષ્યમાં કેવા પ્રકારની ફિલ્મો બનશે. હવે તમે નક્કી કરો કે શું બનાવવું જોઈએ અને શું નકારવું જોઈએ. અમારી ફિલ્મોમાં બતાવેલ નૈતિકતા અને મૂલ્યો તમારા હાથમાં છે.
સ્વાનંદ કિરકિરે ‘એનિમલ’ની પણ ટીકા કરી હતી
જાવેદ સાહેબ પહેલાં ગીતકાર અને પ્લેબેક સિંગર સ્વાનંદ કિરકિરેએ પણ ‘એનિમલ’ ફિલ્મની ટીકા કરી હતી. જો કે, આ બધું હોવા છતાં રણબીર સ્ટારર ‘એનિમલે’ વિશ્વભરમાં રૂ. 887.69 કરોડ અને ભારતમાં રૂ. 549 કરોડનું કલેક્શન કર્યું છે.