48 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
આજે ‘વણકહી વાર્તા’માં, અમે 2008ના હત્યાકાંડની વાત કહેવા જઈ રહ્યા છીએ, જેણે આખા મુંબઈને હચમચાવી દીધું હતું. આ વાર્તામાં 3 મુખ્ય પાત્રો છે.
પહેલું પાત્ર- નીરજ ગ્રોવર, જે બાલાજી પ્રોડક્શન હાઉસમાં કાસ્ટિંગનું કામ કરતો હતો અને મારિયાના પ્રેમમાં હતો.
બીજું પાત્ર- મારિયા મોનિકા સુસાઈરાજ, કન્નડ અભિનેત્રી જે હિન્દી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઈ આવી હતી.
ત્રીજું પાત્ર- લેફ્ટનન્ટ જેરોમ મેથ્યૂ, મારિયાનો બોયફ્રેન્ડ, જેની સાથે તે સગાઈ કરવા જઈ રહી હતી.
મે 2008 ની વાત છે….
26 વર્ષનો નીરજ ગ્રોવર એક દિવસ અચાનક ગુમ થઈ ગયો. તે તેની ગર્લફ્રેન્ડ અને કન્નડ અભિનેત્રી મારિયા સુસાઈરાજને તેનું ઘર શિફ્ટ કરવામાં મદદ કરી રહ્યો હતો, પરંતુ તે પછી તેને કોઈએ જોયો નહીં.
ઘણા કલાકો, પછી દિવસો અને પછી અઠવાડિયાં વીતી ગયાં, પણ નીરજની કોઈ ભાળ મળી નહિ. નીરજને શોધવા માટે આખા શહેરમાં પોસ્ટર ચોંટાડવામાં આવ્યાં, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું.
આખરે પોલીસને મોબાઈલ નેટવર્ક ટાવર પરથી નીરજના લોકેશનની માહિતી મળી હતી. તે એક કોલ દ્વારા આખા ભયાનક હત્યા કેસનો પર્દાફાશ થયો.
આ કેસમાં પહેલીવાર અભિનેત્રી મારિયા સુસાઈરાજની ધરપકડ કરવામાં આવી, પછી ખુલાસો સાંભળીને બધા ચોંકી ગયા. નીરજની હત્યા કરવામાં આવી હતી, હત્યારાઓએ તેના મૃતદેહની સામે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને પછી થોડા કલાકો પછી તેના શરીરના 300 ટુકડા કરી નાખ્યા હતા.
આ ‘વણકહી વાર્તા’ના ચાર ચેપ્ટરમાં વાંચો નીરજ ગ્રોવર હત્યા કાંડ અને નિર્દયી અભિનેત્રી મારિયા સુસાઈરાજની ભયાનક સત્યકથા.
મૈસૂરના એક ખ્રિસ્તી પરિવારમાં જન્મેલી મારિયા મોનિકા સુસાઈરાજ બાળપણથી જ નૃત્ય અને ગાયનમાં ઉત્કૃષ્ટ હતી. પિતા કન્સ્ટ્રક્શન ફર્મમાં કામ કરતા હતા, જ્યારે કાકા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી હતા. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતી, મારિયાએ હિરોઇન બનવાનું સપનું જોયું, પરંતુ તેનો પરિવાર તેની વિરુદ્ધ હતો.
મૈસૂરના ખ્રિસ્તી પરિવારમાં જન્મેલી મારિયા મોનિકા સુસાઇરાજ
જ્યારે તેના પરિવારે લગ્ન માટે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે એક દિવસ મારિયાએ મૈસૂરમાં તેનું ઘર છોડી દીધું અને બેંગલુરુમાં સ્થાયી થઈ.
બેંગલુરુમાં નિર્માતાઓની ઓફિસની સતત મુલાકાત લઈને, તેણે કન્નડ સિનેમામાં સ્થાન મેળવ્યું. કેટલીક નાની ભૂમિકાઓ પછી, મારિયાને વર્ષ 2002માં કન્નડ સિનેમામાં મોટો બ્રેક મળ્યો. તેને ફિલ્મ ‘જૂટ’માં લીડ તરીકે કામ મળ્યું. આ ફિલ્મ માટે તેને પ્રશંસા મળી હતી, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી.
2002માં રિલીઝ થયેલી મારિયાની ફિલ્મ ‘જૂટ’નું પોસ્ટર
આ એક કામ પછી, તેને થોડી વધુ ફિલ્મોમાં નાની ભૂમિકાઓ મળવા લાગી, પરંતુ મારિયા પ્રાદેશિક સિનેમામાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં પોતાનું નામ બનાવવા માગતી હતી. જ્યારે તેમને કન્નડ સિનેમામાં ઓછું કામ મળ્યું ત્યારે તે મુંબઈ આવી ગઈ.
મારિયા ઘણીવાર ઓડિશન આપવા મુંબઈ જતી હતી. એક દિવસ મારિયા ઓડિશનના સંબંધમાં નીરજ ગ્રોવરને મળી. નીરજ ગ્રોવરની મુંબઈમાં સારી પકડ હતી. તે શાહરુખ ખાન દ્વારા હોસ્ટ કરાયેલા ‘ક્યા આપ પાંચવી પાસ સે તેજ હૈં’ અને ‘કહાની હમારે મહાભારત કી’ જેવા શોનો ભાગ રહી ચૂક્યો હતો. વર્ષ 2008 માં, તે એકતા કપૂરના લોકપ્રિય પ્રોડક્શન હાઉસ ‘બાલાજી ટેલિફિલ્મ્સ’ સાથે કામ કરી રહ્યો હતો.
નીરજ ગ્રોવર, જે બાલાજી પ્રોડક્શન હાઉસમાં કામ કરતો હતો
ઓડિશન દરમિયાન મળ્યા પછી, નીરજ અને મારિયાએ નંબર એક્સચેન્જ કર્યા અને પછી બંનેએ વાત કરવાનું શરૂ કર્યું. નીરજે મારિયાને કહ્યું કે તે ખૂબ જ સુંદર છે અને તેને કામ શોધવામાં કોઈ સમસ્યા નહી નડે. જવાબમાં મારિયાએ કહ્યું કે મુંબઈમાં તેની કોઈ ઓળખ નથી, જેના કારણે તેને કામ નથી મળી રહ્યું.
મારિયાની વાત સાંભળ્યા પછી નીરજે તેને મદદની ખાતરી આપી અને બાલાજી ટેલિફિલ્મ્સમાં તેના ઓડિશનની વ્યવસ્થા કરી. આ ઓડિશન માટે તે અવારનવાર મુંબઈ આવતી હતી. સમય જતાં, મારિયા નીરજની નજીક આવવા લાગી, એમ છતાં કે, તે પહેલેથી જ મૈસૂરના રહેવાસી જેરોમ મેથ્યૂ સાથે લાંબા ગાળાના સંબંધમાં હતી, જેની સાથે તેણી સગાઈ પણ કરવા જઈ રહી હતી. જેરોમ ભારતીય સેનામાં હતા અને તે સમયે પુણેમાં પોસ્ટેડ હતા.
મોટી હિરોઈન બનવાનું અને કામ મેળવવાનું સપનું જોનાર મારિયાએ નીરજને એ કહેવું જરૂરી ન માન્યું કે તે પહેલેથી જ રિલેશનશિપમાં છે. સમય સાથે તેમની નિકટતા વધવા લાગી અને એક દિવસ મારિયાએ મુંબઈ શિફ્ટ થવાનું નક્કી કર્યું. મારિયા મુંબઈ પહોંચી ત્યારે નીરજે તેને પોતાના ઘરમાં જગ્યા આપી.
તેમની મિત્રતાને ઘણા મહિનાઓ થઈ ગયા હતા, પરંતુ મારિયાને નીરજ પાસેથી કોઈ કામ મળતું ન હતું. નીરજે તેના મિત્રોને કહ્યું હતું કે મારિયાનાં ઓડિશન તેના કન્નડ ઉચ્ચારને કારણે નકારી કાઢવામાં આવ્યાં હતાં, પરંતુ મારિયાને નુકસાન ન પહોંચાડવા માટે, તે કામ ન મળવા માટે તેના માટે વારંવાર નવાં બહાનાં બનાવતો હતો.
નીરજના ઘરે રહેતા મારિયા તેના મિત્રો સાથે પણ સારી મિત્ર બની ગઈ હતી. તે ઘણીવાર નીરજના મિત્રોને પૂછતી હતી કે શું નીરજ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે? શું આ કાસ્ટિંગ કાઉચ જેવું નથી?
મિત્રો ઘણીવાર મારિયાને સમજાવતા કે નીરજ તેને કામ અપાવવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન, જ્યારે પણ મારિયા તેના બોયફ્રેન્ડ જેરોમ મેથ્યૂ સાથે વાત કરતી, જ્યારે પણ નીરજનો ઉલ્લેખ થતો, ત્યારે તે માત્ર એટલું જ કહેતી કે નીરજ તેને એકતરફી પ્રેમ કરે છે અને તે તેને મિત્ર માને છે. જો કે, આ એક ખોટી વાત હતી.
લગભગ એક અઠવાડિયા સુધી નીરજ સાથે લિવ-ઈનમાં રહ્યા બાદ મારિયાએ મલાડમાં ધીરજ સોલિટેર એપાર્ટમેન્ટનો ફ્લેટ નંબર 201 ભાડે લીધો હતો.
7 મે ,2008
મારિયાએ નીરજનો ફ્લેટ છોડીને મલાડના ફ્લેટમાં શિફ્ટ થવું પડ્યું. મારિયાના ગયા પછી રાત્રે નીરજે તેના મિત્રોને કહ્યું કે, તે મારિયાને શિફ્ટિંગમાં મદદ કરવા જઈ રહ્યો છે. તે લગભગ 10 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો.
બીજા દિવસે સવારે નીરજના મિત્રએ તેના નંબર પર ફોન કર્યો, મારિયાએ કોલ રિસીવ કર્યો. મારિયાએ તેના મિત્ર લાલને જણાવ્યું હતું કે નીરજ રાત્રે 1:30 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો અને ઉતાવળમાં ફોન તેના ફ્લેટમાં મૂકી ગયો હતો. થોડા વધુ કલાકો વીતી ગયા, પણ નીરજ ન તો ફ્લેટ પર આવ્યો કે ન તો ફોન ઉપાડવા આવ્યો. નીરજ સાથે વાત ન થતાં તેના પરિવાર અને કામ સાથે જોડાયેલા લોકો તેના મિત્ર લાલને ફોન કરતા હતા, પરંતુ તેની પાસે કોઈ માહિતી નહોતી.
આખરે, લાલ 8 મેની સાંજે મારિયાના ફ્લેટ પર પહોંચ્યો. જ્યારે તેણે મારિયાને પૂછ્યું કે તે કોની સાથે બહાર ગયો છે, ત્યારે તે જવાબ આપી શકી નહીં. આખરે, ઘણી વિચાર-વિમર્શ પછી, બંનેએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે નીરજનો ફોન જપ્ત કરીને તેની શોધખોળ શરૂ કરી હતી. આ મામલે તેના નજીકના સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ માહિતી બહાર આવી શકી ન હતી. 2 દિવસ બાદ તેના પરિવારના સભ્યો પણ કાનપુરથી મુંબઈ આવ્યા હતા. થોડા દિવસો બે અઠવાડિયાંમાં ફેરવાઈ ગયાં, પણ નીરજના કોઈ સમાચાર નહોતા. તેના પરિવારના સભ્યોએ તેના પોસ્ટર છાપ્યાં, જેમાં નીરજ વિશે માહિતી આપનારને ઈનામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેનો પણ કોઈ ફાયદો થયો ન હતો.
નીરજ ગ્રોવરની માહિતી આપનારને 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી હતી.
બે અઠવાડિયાં વીત્યાં અને પોલીસે કેસ સાથે જોડાયેલા લોકોના કોલ રેકોર્ડ્સ સ્કેન કરવાનું શરૂ કર્યું. રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું કે 8 મેની સાંજે નીરજના ફોન પર એક કોલ આવ્યો હતો, જે થોડીક સેકન્ડ માટે રિસીવ થયો હતો. મોબાઈલ નેટવર્ક ટાવરના રેકોર્ડ મળ્યા બાદ પોલીસની પહેલી શંકા મારિયા સુસાઈરાજ પર પડી, કારણ કે ફરિયાદ સુધી નીરજનો મોબાઈલ મારિયા પાસે હતો.
પોલીસે મારિયાને શંકા ન જાય તે રીતે તેની તપાસ શરૂ કરી. જ્યારે મારિયાના કોલ રેકોર્ડ્સ કાઢવામાં આવ્યા ત્યારે પરિણામો ચોંકાવનારાં હતાં. 8 મે થી 20 મે સુધી મારિયા અને તેના બોયફ્રેન્ડ જેરોમ મેથ્યૂ વચ્ચે 1,000 કોલ કરવામાં આવ્યા હતા. આ સામાન્ય વાત નહોતી. કોલ રેકોર્ડ અને તે રાત્રે જેરોમની મુંબઈમાં હાજરીથી મારિયા પર પોલીસની શંકા વધુ મજબૂત થઈ.
મારિયા સુસાઈરાજની ધરપકડ દરમિયાન લેવામાં આવેલો ફોટોગ્રાફ. ધરપકડ દરમિયાન મારિયા હસતી જોવા મળી હતી
આ સંબંધમાં મારિયા અને તેના બોયફ્રેન્ડ જેરોમ મેથ્યૂને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં. નિવેદનમાં, મારિયાએ તે જ વાત કહી જે તેણે પહેલાં કહી હતી, જ્યારે જેરોમે કહ્યું કે તે આર્મી ટ્રેનિંગ માટે મુંબઈ આવ્યો હતો. પોલીસે આર્મી સેન્ટરમાં જેરોમના નિવેદનની પુષ્ટિ કરી ન હતી, જોકે તેઓએ શંકાના આધારે તપાસ ચાલુ રાખી હતી. જ્યારે મારિયાની બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
સિક્યોરિટી ગાર્ડે તેમને જણાવ્યું કે 8 મેની સાંજે મારિયા અને તેનો બોયફ્રેન્ડ મેથ્યૂ કેટલીક બેગમાં ભારે વસ્તુઓ લઈને જતા જોવા મળ્યાં હતાં. જેના કારણે પોલીસની શંકા વિશ્વાસમાં ફેરવાઈ હતી. પુરાવા એકત્ર થતાં જ પોલીસે પહેલાં મારિયાની ધરપકડ કરી હતી.
જેરોમ મેથ્યૂની ધરપકડ દરમિયાન લેવાયેલો ફોટોગ્રાફ
મારિયા સતત પોતાનાં નિવેદનો બદલતી રહી, પરંતુ જ્યારે કડક કાર્યવાહી કરવામાં આવી ત્યારે તે ભાંગી પડી. મારિયાએ કરેલા ખુલાસા સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
મારિયાએ ગુનો કબૂલ્યો અને કહ્યું કે નીરજ ગ્રોવરની હત્યા 8 મેના રોજ જ કરવામાં આવી હતી. વાસ્તવમાં મારિયાએ 7 મેના રોજ નીરજને શિફ્ટિંગમાં મદદ કરવા માટે ફોન કર્યો હતો. બંને ઘરે ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યાં હતાં ત્યારે મારિયાના બોયફ્રેન્ડ જેરોમ મેથ્યૂનો ફોન આવ્યો. જ્યારે મેથ્યૂએ કોલ પર પાછળથી આવતા નીરજનો અવાજ સાંભળ્યો ત્યારે તે ગુસ્સે થઈ ગયો કારણ કે તેને લાગતું હતું કે નીરજનો ઈરાદો મારિયા માટે સારો નથી. જેરોમ મેથ્યૂને ગુસ્સે થતો જોઈને, મારિયાએ તેને સમજાવ્યું કે એક મિત્ર તરીકે, તે ફક્ત મદદ કરવા આવ્યો હતો. તે તેને રાત્રિભોજન પછી વિદાય કરશે. જવાબમાં જેરોમે કહ્યું કે નીરજ તેમની સાથે રહેશે તો તેનું પરિણામ સારું નહીં આવે.
બીજા દિવસે 8 મેના રોજ મારિયાના ફ્લેટની ડોરબેલ વાગી. મારિયા થોડીક સેકન્ડ સુધી દરવાજા સુધી ન પહોંચી ત્યારે ડોરબેલ વારંવાર વાગવા લાગી. તેણે ઉતાવળમાં દરવાજો ખોલ્યો તો તેઓએ જેરોમને દરવાજે ઊભેલો જોયો. મારિયા તેને જોતાં જ ડરી ગઈ, કારણ કે તે સમયે નીરજ તેના ઘરે હતો. જેરોમ ફ્લેટમાં પ્રવેશ્યો. મારિયા તેમને બેડરૂમમાં જતા અટકાવે છે, પરંતુ જેરોમ તેને દૂર ધકેલી દે છે. જેરોમ રૂમમાં દાખલ થતાં જ તેણે જોયું કે નીરજ તેના પલંગ પર હતો. આ જોતાં જ તેણે નીરજને માર મારવાનું શરૂ કરી દીધું હતું.
મુંબઈ પોલીસે જેરોમ મેથ્યૂને પોલીસ કસ્ટડીમાં લીધો હતો
મારિયાએ રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને રોકી શકી નહીં. લડાઈ દરમિયાન, જેરોમ રસોડામાંથી છરી લાવ્યો, જેનાથી તેણે નીરજને ઘણી વાર માર્યો. જેરોમનાં કપડાં લોહીથી ખરડાઇ ગયાં, રૂમમાં બધે લોહીના છાંટા ઊડ્યા અને નીરજના શ્વાસ ધીમા પડી રહ્યા હતા. નીરજનું મૃત્યુ થતાં જ મારિયાએ તરત જ રૂમ સાફ કરવાનું શરૂ કર્યું. લોહી સાફ કર્યું, બેડશીટ અને પડદા બદલ્યા અને ડેડબોડીમાંથી લોહી સંપૂર્ણપણે સાફ કર્યું. નીરજની ડેડ બોડી થોડા કલાકો સુધી તેના રૂમમાં પડી રહી હતી. આ સમયગાળા દરમિયાન, મારિયા અને જેરોમે એક જ રૂમમાં ઘણી વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા, જ્યાં એક ડેડ બોડી પડી હતી!
થોડા સમય પછી, બંને નજીકના શોપિંગ મોલમાં ગયાં, જ્યાંથી તેઓએ મોટી પોલિથિન બેગ અને ધારદાર ચાકુ ખરીદ્યાં.
ઘરે પરત ફર્યા બાદ બંનેએ મળીને લાશના 300 ટુકડા કરી નાખ્યા હતા. બપોરના 4 વાગ્યાની આસપાસ બંને જણ તમામ ટુકડાઓ સાથે અમગાંવ જવા નીકળ્યાં. રસ્તામાં પેટ્રોલ ભરાવ્યું, અને એક નિર્જન જગ્યા શોધીને બેગમાં પેટ્રોલ નાખી આગ ચાંપી દીધી. બંને લાશના ટુકડાનો નિકાલ કરવા બહાર નીકળ્યાં હતાં તે સમયે મારિયાના જીન્સના ખિસ્સામાં નીરજનો ફોન હતો. રસ્તામાં નીરજનો ફોન રણક્યો, મારિયાએ નંબર ચેક કરવા માટે ખિસ્સામાંથી ફોન કાઢ્યો, ત્યારે ભૂલથી તેણે કોલ રિસીવ કરી લીધો. તે એક કોલ જ આ હત્યા કેસમાં મહત્ત્વની કડી સાબિત થયો હતો.
હત્યાનો ખુલાસો થયા પછી, મારિયાને પુરાવા છુપાવવા અને હત્યામાં સામેલ હોવા બદલ 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે જેરોમ મેથ્યૂને 10 વર્ષની સજા કરવામાં આવી હતી. મારિયાને માત્ર 3 વર્ષની સજા ફટકારવામાં આવી હોવાના વિરોધમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઘણા લોકો સામે આવ્યા હતા અને તેની સજા વધારવાની માગ કરી હતી. જો કે કોર્ટે નિર્ણય બદલ્યો ન હતો. એવા અહેવાલો પણ હતા કે મારિયાને બિગ બોસ 5ની ઓફર મળી હતી, જોકે તે આ શોનો ભાગ બની નહોતી.
વિરોધ દરમિયાન લેવામાં આવેલી કાસ્ટિંગ ડિરેક્ટર વિકાસ ગુપ્તાની તસવીર
જેલમાંથી બહાર આવ્યા બાદ મારિયા વિરુદ્ધ મુંબઈ અને ગુજરાત સહિત અનેક શહેરોમાં કરોડોની છેતરપિંડીના કેસમાં ફરિયાદ નોંધાઈ છે. અને આ રીતે મારિયાને દેશભરમાં ઓળખ મળી, પરંતુ તેનું કારણ તેની એક્ટિંગ નહીં પરંતુ એક નૃશંસ હત્યાકાંડ હતો.