38 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ ભારતમાં રિલીઝ થવાની જાહેરાત બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)એ ફરી એકવાર પાકિસ્તાની કલાકારો અને ફિલ્મો સામે મોરચો ખોલ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા અમય ખોપકરે દૈનિક ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે, ભારતમાં કોઈ પાકિસ્તાની કલાકાર કે ફિલ્મને સ્થાન નહીં મળે. તેમણે બોલિવૂડ પર પણ આકરા શબ્દોમાં નિશાન સાધતા કહ્યું કે જો પાકિસ્તાની કલાકારો અહીં આવીને પ્રમોશન કરશે તો તેમને મારવામાં આવશે.
દેશની સુરક્ષા અને શહીદ થયેલા જવાનોનો મુદ્દો ઉઠાવીને તેમણે પોતાનો વિરોધ માત્ર મહારાષ્ટ્ર પૂરતો સીમિત રાખ્યો ન હતો, પરંતુ તેને સમગ્ર દેશમાં ફેલાવવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. વાતચીતના કેટલાક મુખ્ય અંશો વાંચો:
સૌથી પહેલા તો અમે એ જાણવા માગીએ છીએ કે, પાકિસ્તાનના કલાકારો સામે આ જોરદાર વિરોધનું સાચું કારણ શું છે? ‘આપણા દેશ પર પાકિસ્તાન દ્વારા હુમલા ચાલુ છે. ગયા અઠવાડિયે પણ એવા હુમલા થયા હતા જેમાં આપણા જવાનો શહીદ થયા હતા. આપણા દેશના ઘણા શહેરોમાં હુમલા પણ થાય છે, જ્યાં આપણા સારા પોલીસ અધિકારીઓ શહીદ થાય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની કળાની શી જરૂર છે? શું આપણા દેશમાં કલાકારો નથી? શું અહીં ફિલ્મો બનતી નથી? શા માટે આપણને પાકિસ્તાનના કલાકારોની જરૂર છે? મુંબઈમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પોલીસ અધિકારીઓના ઘરે ટીવી ચાલુ હોય ત્યારે શું તેઓ આ પાકિસ્તાની કલાકારોના શો જોશે? જેમના કારણે આપણા સૈનિકો અને પોલીસ અધિકારીઓ શહીદ થયા હોય. અમને એ દેશનના કલાકારો જોઈતા નથી. અમે અહીં પાકિસ્તાનના કોઈ કલાકાર કે ફિલ્મને રિલીઝ થવા દઈશું નહીં.’
બોલિવૂડમાં આટલા વર્ષોથી બધું બરાબર ચાલતું હતું, હવે અચાનક પાકિસ્તાની કલાકારોની જરૂર કેમ પડી? મારો પ્રશ્ન એ પણ છે કે, આની જરૂર કેમ છે? અમારી પાસે અહીં સારા કલાકારો અને સારી પ્રતિભા છે. તો પછી પાકિસ્તાનમાંથી કલાકારોને બોલાવવાની શું જરૂર છે? પાકિસ્તાનમાં તેઓ અમારી ફિલ્મોને રિલીઝ પણ થવા દેતા નથી, ઊલટું તેઓ તેમના પર પ્રતિબંધ મૂકે છે.
શું તમારો વિરોધ માત્ર મહારાષ્ટ્ર પૂરતો મર્યાદિત રહેશે કે પછી તમે તેને સમગ્ર દેશમાં ફેલાવવાની યોજના બનાવી રહ્યા છો? અમારો પક્ષ મહારાષ્ટ્ર પૂરતો સીમિત છે, પરંતુ હું અન્ય રાજ્યોને પણ કહું છું કે તેઓ કોઈ પણ પાકિસ્તાની કલાકાર કે ફિલ્મને તેમના શહેરોમાં રિલીઝ ન થવા દે અને તેનો વિરોધ કરે. અમે ચોક્કસ વિરોધ કરીશું. પાકિસ્તાની ફિલ્મો મહારાષ્ટ્રમાં રિલીઝ નહીં થાય અને આને ધમકી પણ ગણવી જોઈએ.
ધારો કે પાકિસ્તાની ફિલ્મો રિલીઝ થાય તો તમારી આગળની રણનીતિ શું હશે? થિયેટર માલિકો પણ જાણે છે કે તેમના મલ્ટિપ્લેક્સના અરીસાઓ ખૂબ મોંઘા છે. તેને રિલીઝ થવા દેશે નહીં, અને ‘ના’ એટલે ‘ના.’
કહેવાય છે કે કલા અને સંસ્કૃતિને રાજનીતિથી અલગ રાખવી જોઈએ. શું તમને લાગે છે કે આ શક્ય છે? ‘હું માનું છું કે કલા અને સંસ્કૃતિ અને રાજકારણ અલગ વસ્તુઓ છે. પણ જ્યારે એ જ કળા આપણા દેશ પર હુમલો કરનારાઓની હોય તો આપણને એ કળા જોઈતી નથી. આપણા માટે દેશ પ્રથમ આવે છે, પછી કલા. કલાના નામે આપણા દેશ પર હુમલો કરનારાઓને અમે સહન નહીં કરીએ. જે દિવસે પાકિસ્તાન તરફથી આપણા દેશ પર હુમલા બંધ થાય, પછી વાત કરીશું. હમણાં માટે બિલકુલ નહીં.’
બોલિવૂડમાં જેઓ પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાનું સમર્થન કરી રહ્યા છે તેમના માટે તમારો શું સંદેશ છે? ‘બોલિવૂડના લોકોને શરમ આવવી જોઈએ. આપણા દેશમાં આટલી ટેલેન્ટ છે તો પછી બહારથી ખાસ કરીને પાકિસ્તાનમાંથી કલાકારો લાવવાની શું જરૂર છે? તેઓ ભલે ગમે તેટલી કોશિશ કરીએ, અમે કોઈ પણ પાકિસ્તાની કલાકારને અહીં આવીને પરફોર્મ કરવા કે ફિલ્મો બતાવવા નહીં દઈએ. અત્યારે એવી વાતો ચાલી રહી છે કે, પાકિસ્તાની કલાકારો અહીં આવીને પોતાનું પ્રમોશન કરશે, તો હું તેમને કહેવા માંગુ છું કે તે વિચારે પણ નહીં. પ્રમોશન વિશે વિચારશો નહીં, નહીં તો તમને માર પડશે. હાથ-પગ તોડી નાખશું.’