34 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીઢ અભિનેત્રી મુમતાઝ ખુશ છે કે આજે અભિનેત્રીઓને ફિલ્મના સેટ પર વેનિટી વેન અને અન્ય ઘણી સુવિધાઓ મળે છે. હકીકતમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, તેમણે પોતાના સમયના સંઘર્ષ વિશે જણાવ્યું. અભિનેત્રીએ જણાવ્યું કે, તેમના સમયમાં શૂટિંગ દરમિયાન વૉશરૂમ જવા માટે માઈલ સુધી ચાલવું પડતું હતું. આ ઘટના ફિલ્મ ‘આપ કી કસમ’ દરમિયાન બની હતી.
તેમણે વહીદા રહેમાન અને વૈજંતીમાલા જેવી બોલિવૂડ અભિનેત્રીઓ સાથેના તેમના સંબંધો વિશે પણ વાત કરી અને કેવી રીતે તેમના સમયની અભિનેત્રીઓ તેમના કરતા નિમ્ન ગણાતા લોકો સાથે વાત કરતી ન હતી.
તે સમયને યાદ કરતાં તેમણે ફિલ્મ ‘આપ કી કસમ’ના શૂટિંગ સાથે જોડાયેલી એક ઘટના કહી.
મુમતાઝે ડૉન ન્યૂઝને જણાવ્યું – ‘જય જય શિવ શંકર’ ગીતના શૂટિંગ દરમિયાન માઈલ સુધી બાથરૂમ નહોતું. તેથી, જો મારે વૉશરૂમ જવું હોય, તો હું મારી હેરડ્રેસરને લઈને બાથરૂમ શોધવા જતી હતી.
‘આજની અભિનેત્રીઓ ખૂબ નસીબદાર હોય છે’
મુમતાઝે કહ્યું કે, ‘આજની અભિનેત્રીઓ ખૂબ નસીબદાર છે. આજે તેમની સુવિધા માટે વેનિટી વાન ઉપલબ્ધ છે. આ બધી સગવડો અમારા જમાનામાં નહોતી.’ આગળ કહ્યું- ‘મને ખુશી છે કે, આજે છોકરીઓ પાસે વોશરૂમનો ઉપયોગ કરવાની સુવિધા છે. કારણ કે વોશરૂમ માટે માઈલ સુધી ચાલવું મુશ્કેલ હોય છે’
તે સમયે મોટા કલાકારોને નાના કલાકારો સાથે વાત કરવાનું પસંદ નહોતું.
જ્યારે મુમતાઝે 1960 ના દાયકામાં હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો ત્યારે વહીદા રહેમાન અને વૈજન્તીમાલા જેવા કલાકારો ઉદ્યોગ પર રાજ કરી રહ્યા હતા. મુમતાઝે કહ્યું કે, ‘તેમાંથી થોડા જ નવા લોકો સાથે ભળી શક્યા હતા.’ તેણે કહ્યું- ‘તે લોકો ઘણા મોટા હતા અને અમે નાના હતા, તેમને અમારી સાથે ભળવું પસંદ નહોતું.’ અભિનેત્રીએ પીઢ અભિનેત્રી વહીદા રહેમાન વિશે જણાવ્યું કે ‘તે ખૂબ જ ડાઉન ટુ અર્થ રહેતી હતી. વૈજંતીમાલા પણ તે જ સમયે ત્યાં હતી, પરંતુ તેમણે મારી સાથે વાત કરી નહીં.’
મુમતાઝનું માનવું હતું કે, તે વ્યક્તિના સ્વભાવ પર પણ આધાર રાખે છે – ‘કેટલાક લોકો તેમનાથી ઊતરતી કક્ષાના લોકો સાથે વાત કરવા નથી માગતા. કેટલાક કલાકારો જ્યારે રસ્તા પર હોય ત્યારે ઓટોગ્રાફ પર સહી પણ કરતા નથી. જો કે, મુમતાઝ, અંજુ મહેન્દ્રુ અને પૂનમ સિંહા (શત્રુઘ્ન સિંહાની પત્ની) સાથે મિત્રતા કરવામાં સફળ રહી અને તેમની સાથે ખૂબ જ ગાઢ સંબંધ ધરાવે છે. તેણી સહમત હતી કે તે સરળતાથી મિત્રો બનાવી શકતી નથી.’
વેલ, મુમતાઝ પહેલી અભિનેત્રી નથી જેણે તે દિવસોમાં મહિલાઓ માટે બાથરૂમની સમસ્યા વિશે વાત કરી. અગાઉ પીઢ અભિનેત્રી આશા પારેખે પણ આ સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે સમયે શુટિંગ દરમિયાન મહિલાઓને સ્વચ્છ વોશરૂમના અભાવે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.’
રાજેશ ખન્ના, મુમતાઝ અને સંજીવ કુમાર જેવા કલાકારોએ 1974માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આપ કી કસમ’માં કામ કર્યું હતું. લોકોને આ ફિલ્મની વાર્તા અને ગીતો એટલા પસંદ આવ્યા કે, જે. ઓમપ્રકાશ પોતાની પ્રથમ ફિલ્મથી જ હિટ થઈ ગયા.’