26 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટર પંકજ ત્રિપાઠી આ સમયના સૌથી વ્યસ્ત એક્ટર પૈકી એક છે. છેલ્લાં 3 વર્ષમાં લગભગ 14 ફિલ્મો કર્યા બાદ પંકજ હવે બ્રેક લેવા માગે છે. એક ઇન્ટરવ્યૂમાં પંકજે કહ્યું છે કે ‘હવેથી તે દરેક ફિલ્મના શૂટિંગ પછી 30 દિવસનો બ્રેક લેશે જેથી કરીને તે અગાઉના ફિલ્મના રોલમાંથી બહાર આવીને આગામી ફિલ્મ માટેની તૈયારી કરી શકે.’
પંકજે ગત વર્ષે ત્રણ ફિલ્મો કરી (OMG 2, ફુકરે 3, કડક સિંહ) જે ત્રણેય ફિલ્મો હિટ રહી
હું 10ને બદલે ફક્તને ફક્ત 3 પ્રોજેક્ટ કરીશઃ પંકજ
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં પંકજે કહ્યું, ‘મેં મારું કામ કરવાનું નક્કી કર્યું છે. મને લાગ્યું કે હવે વધી ગયું છે, કોઈપણ વ્યક્તિએ આટલું કામ ન કરવું જોઈએ. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે અને હું મારી શારીરિકતાને બદલી શકતો નથી. આ સ્થિતિમાં મેં નક્કી કર્યું છે કે 10 પ્રોજેક્ટ કરવાને બદલે હવે માત્ર 3 પ્રોજેક્ટ પર જ કામ કરીશ.
‘સ્ત્રી 2′ ના ડિરેક્ટરે એક દિવસનો બ્રેક આપ્યો’
પંકજે ફિલ્મ ‘સ્ત્રી 2’ના સેટ પરથી એક કિસ્સો શેર કર્યો અને જણાવ્યું કે કેવી રીતે તેમનું કામ ઓવરલેપ થવા લાગ્યું છે. ત્રિપાઠીએ કહ્યું, ‘ફિલ્મ ‘મૈં અટલ હું’નું શૂટિંગ પૂરું કર્યા પછી હું બીજા જ દિવસે ‘સ્ત્રી 2’ના સેટ પર પહોંચી ગયો. શૂટિંગના પહેલા જ દિવસે ડિરેક્ટર અમર કૌશિક મારી પાસે આવ્યા અને કહ્યું – ‘અટલ જી જ લાગી રહ્યાં છો…’. મેં પૂછ્યું હવે મારે શું કરવું જોઈએ? તેથી અમરે મને એક દિવસની રજા આપી અને મને કહ્યું કે ઘરે જઈને ‘સ્ત્રી’ને જુઓ અને આરામ કરો.
ફિલ્મ ‘સ્ત્રી’ના સેટ પર સહ-અભિનેતા અપારશક્તિ ખુરાના અને નિર્દેશક અમર કૌશિક સાથે પંકજ
તૈયારી કર્યા વગર એક સેટથી બીજા સેટ પર જવું બિલકુલ ખોટું છેઃ પંકજ
પંકજે વધુમાં જણાવ્યું હતું કે, ‘ આ પછીથી મને સમજાયું કે આવી તૈયારી વિના એક સેટથી બીજા સેટ પર જવું ખોટું છે. મને લાગે છે કે દરેક ફિલ્મ શરૂ કરતા પહેલાં મારે 30 દિવસનો ગેપ લેવો જોઈએ. જૂના પાત્રને ભૂલી જવા માટે 10 દિવસ, પરિવારને સમર્પિત કરવા માટે 10 દિવસ અને નવા રોલની તૈયારી માટે 10 દિવસ. અને હવેથી હું આટલું જ કરીશ.
‘પહેલાં ઘણી જવાબદારીઓ હતી એટલે દરેક કામ હું જ જાતે જ કરતો હતો’
વર્ષો સુધી કામ કર્યા પછી પંકજ હવે પ્રોફેશનલ રીતે તે તબક્કે પહોંચ્યો છે જ્યાં તે નવા કામને નકારી શકે છે અથવા પોતાની મરજી મુજબ તેમના રોલ પસંદ કરી શકે છે. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘પહેલાં મારા પર ઘણી જવાબદારીઓ હતી, તેથી હું પૈસા કમાવવા માટે દરેક પ્રકારના કામ કરતો હતો. હવે પરિસ્થિતિ જુદી છે. મારા EMI પૂરી થઈ ગઈ છે. પૈસાનું જીવનમાં ખાસ મહત્ત્વ નથી તે કહેવા માટે પણ પૈસા હોવા ખુબ જ જરૂરી છે. જ્યારે તેમની પાસે પૈસા હોય ત્યારે જ માણસ આ કહી શકે છે અને ગહન અનુભવ કરી શકે છે.
પંકજ પહેલીવાર ફિલ્મ ‘મૈં અટલ હૂં’માં લીડ રોલમાં
રવિ જાધવ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘મૈં અટલ હૂં’ 19 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ સિવાય પંકજની વધુ બે ફિલ્મો ‘સ્ત્રી 2’ અને ‘મેટ્રોઃ ધીઝ ડેઝ’ પણ આ વર્ષે રિલીઝ થવાની છે.