6 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટર રણદીપ હુડ્ડાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિગ્ગજ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય વિશે ખુલીને વાત કરી હતી.એક્ટરે કહ્યું કે, ‘તેને સરબજીતના સેટ પર ઐશ્વર્યા સાથે બોન્ડિંગની તક મળી નથી. આ સાથે જ ખુલાસો કર્યો હતો કે આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે એક પણ સીન નથી, તેથી તેમને વધુ સમય સાથે વિતાવવાનો મોકો મળ્યો નથી. વધુમાં, સેટ પર જ ઐશ્વર્યાના કામની પણ પ્રશંસા કરી હતી.’
સરબજીતમાં ઐશ્વર્યાએ રણદીપની બહેનનો રોલ કર્યો હતો
રણદીપે કહ્યું- તે ખૂબ જ સારી છે, સેટ પર દરેક લોકો સાથે ખુબ જ સારી રહેતી હતી. તે પોતાનું કામ ખૂબ જ ઈમાનદારીથી કરે છે. આ પછી તેમણે કહ્યું કે તેને સેટ પર વાત કરવાનો વધારે સમય નથી મળ્યો.
હ્યુમન્સ ઑફ બોમ્બે સાથે વાત કરતાં રણદીપે કહ્યું કે સરબજીતની બહેન સાથે ગાઢ સંબંધ થયો હોય તો તેનું કારણ ઐશ્વર્યા જ હતી. ઐશ્વર્યા કરતાં પણ મારા સરબજીતની બહેન સાથે સારા સંબંધો હતા. હવે સરબજીતની બહેનનું અવસાન થયું છે. તેમની ઈચ્છા હતી કે મારે તેમને અગ્નિદાહ આપવો જોઈએ. મેં તેમની ઈચ્છાને માન આપી અને તેમને અગ્નિદાહ આપ્યો હતો.
સરબજીતની બહેન સાથે રણદીપ હુડ્ડા
રણદીપ ઈચ્છતો હતો કે સરબજીતની બહેન સાથે થોડો વધુ સમય વિતાવવાનો મોકો મળે. તેઓ એક મહાન સ્ત્રી હતા. તેઓ તેમના ભાઈ સરબજીતના બાળકોની સંભાળ રાખતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રણદીપ હજુ પણ તે લોકોના સંપર્કમાં છે.
રણદીપે તસવીર શેર કરી છે
રણદીપે તેની આગામી ફિલ્મ માટે બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હતું
રણદીપ હુડ્ડાની આગામી ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ છે. આ ઐતિહાસિક બાયોગ્રાફિકલ ફિલ્મમાં રણદીપ ભારતીય ક્રાંતિકારી અને સ્વાતંત્ર્ય સેનાની વિનાયક દામોદર સાવરકરની ભૂમિકામાં જોવા મળશે.
આ માટે રણદીપે જબરદસ્ત બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું છે. આ માટે એક્ટરે 18 કિલો વજન ઘટાડ્યું છે. હાલમાં જ રણદીપે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શર્ટલેસ ફોટો શેર કર્યો છે, જેને જોઈને ફેન્સ તેમની પ્રસંશા કરી રહ્યા છે
ફોટો શેર કરીને લખ્યું- ‘કાલા પાની’
ઇન્સ્ટાગ્રામ પર મિરર સેલ્ફી શેર કરતી વખતે, રણદીપે કેપ્શનમાં લખ્યું – ‘કાલા પાની’. આ પરથી સ્પષ્ટ થાય છે કે વીર સાવરકર સેલ્યુલર જેલમાં કેદ હતા ત્યારે ફિલ્મના તે સીન માટે એક્ટરે આ ટ્રાન્સફોર્મેશન કર્યું છે.
સરબજીત દરમિયાનની તસવીર
‘સરબજીત’ માટે 28 દિવસમાં 18 કિલો વજન ઘટાડ્યું
જો કે આ પહેલીવાર નથી જ્યારે રણદીપે બોડી ટ્રાન્સફોર્મેશન કર્યું હોય. અગાઉ તેમણે 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સરબજીત’ માટે પણ 28 દિવસમાં 18 કિલો વજન ઘટાડ્યું હતું. ત્યારબાદ એક ઇન્ટરવ્યૂમાં રણદીપે પોતાના વજન ઘટાડવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું- હું આટલું વજન વધારવું અને વજન ઓછું કરી શકું છું કારણ કે હું એક સ્પોર્ટ્સ પર્સન છું.