2 કલાક પેહલા
- કૉપી લિંક
2013માં લાહોરની કોટ લખપત જેલમાં સરબજીત સિંહની હત્યામાં સામેલ મુખ્ય વ્યક્તિ, અમીર સરફરાઝ તાંબાને રવિવારે, 14 એપ્રિલે પાકિસ્તાનના લાહોરમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઈસ્લામપુર વિસ્તારમાં બાઈક પર સવાર હુમલાખોરો દ્વારા અમીર સરફરાઝ તાંબા પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. રણદીપ હુડ્ડાએ લખ્યું- ‘કર્મ. અજ્ઞાત પુરુષનો આભાર, મારી બહેન દલબીર કૌરને યાદ કરી રહ્યો છું અને સ્વપનદીપ અને પૂનમને પ્રેમ મોકલું છું, આજે શહીદ સરબજીત સિંહને ન્યાય મળ્યો’
સરબજીતને 23 વર્ષ સુધી લાહોરની કોટ લખપત જેલમાં રાખવામાં આવ્યો હતો. જેલની અંદર અમીર સરફરાઝ તાંબા અને કેદીઓએ એક અઠવાડિયા સુધી સરબજીત પર ઈંટો અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો, જેના કારણે 26 જૂન 2013ના રોજ સરબજીતનું મૃત્યુ થયું. એવું કહેવાય છે કે અમીર સરફરાઝ તાંબાએ ISIના નિર્દેશ પર સરબજીતની હત્યા કરી હતી.
સરબજીતની બહેન સાથે રણદીપ હુડ્ડા.
રણદીપ હુડ્ડાએ સરબજીત સિંહની બાયોપિક ‘સરબજીત’માં સરબજીતની ભૂમિકા ભજવી હતી. ઓમંગ કુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન સરબજીત સિંહની બહેન દલબીર કૌરના રોલમાં જોવા મળી હતી. 2016માં રીલિઝ થયેલી આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે સરબજીત અજાણતામાં ભારત-પાકિસ્તાન સરહદ પાર કરે છે અને પાકિસ્તાની સેના દ્વારા તેને પકડી લેવામાં આવે છે. તેની બહેન દલબીર તેના ભાઈને નિર્દોષ સાબિત કરવા માટે લડી રહી છે.