1 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે કોલકાતામાં 10 સપ્ટેમ્બરે યોજાનાર કોન્સર્ટને મુલતવી રાખ્યો છે. શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર કહ્યું છે કે, કોલકાતામાં એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાથી તે ખૂબ જ દુઃખી છે, તેથી તેણે આ નિર્ણય લીધો છે. 9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી.
શ્રેયાનો કોન્સર્ટ કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાવાનો હતો. શ્રેયાએ પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું આ ઘૃણાસ્પદ અપરાધથી ખૂબ જ દુઃખી છું. એક મહિલા તરીકે આ ઘટનાએ મને હચમચાવી દીધી છે. મારા પ્રમોટર અને હું સપ્ટેમ્બરમાં યોજાનાર કોન્સર્ટને મુલતવી રાખવા માંગીએ છીએ.’ 14 સપ્ટેમ્બરે યોજાનાર કોન્સર્ટ હવે ઓક્ટોબરમાં થશે.
શ્રેયાએ આગળ લખ્યું, ‘અમે આ કોન્સર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પરંતુ તે પણ ખૂબ જ જરૂરી છે કે આપણે બધા સાથે મળીને આવી બાબતો સામે સ્ટેન્ડ લઈએ. હું માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મહિલાઓના સન્માન અને સલામતી માટે પ્રાર્થના કરું છું.’
‘હું આશા રાખું છું કે મારા મિત્રો અને ચાહકો આ કોન્સર્ટ સાથે આગળ વધવાના અમારા નિર્ણયને સ્વીકારશે અને સમજશે. મહેરબાની કરીને મારી અને મારા બેન્ડ સાથે રહો કારણ કે આપણે સમાજના દુશ્મનો સામે એક થઈને ઊભા છીએ.’
શ્રેયાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ.
સામંથાએ પણ રેપ કેસ પર પ્રતિક્રિયા આપી હતી
શ્રેયા પહેલા સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રૂથ પ્રભુએ કોલકાતા રેપ અને મર્ડર કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સામંથા મુંબઈમાં એક ઈવેન્ટમાં ભાગ લેવા આવી હતી જ્યાં તેને કોલકાતા કેસ બાદ મહિલાઓની સુરક્ષા સાથે સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
સામંથાએ પરિવર્તનની માંગ કરતા કહ્યું, ‘મને લાગે છે કે આ સમયની જરૂરિયાત છે. આપણે સૌ કોઈ પરિવર્તનની શોધમાં છીએ કારણ કે તે સમયની જરૂરિયાત છે. મને આશા છે કે આ પરિવર્તન જલદી આવશે.
કરીના કપૂરે હાલમાં જ સોશિયલ મીડિયા પર આ કેસની સરખામણી 12 વર્ષ પહેલા બનેલા નિર્ભયા કેસ સાથે કરી હતી.
તેણે એક પોસ્ટમાં લખ્યું, ’12 વર્ષ પછી પણ વાર્તા એ જ છે અને વિરોધ પણ એ જ છે. પરંતુ તેમ છતાં આપણે હજુ પણ પરિવર્તનની રાહ જોઈ રહ્યા છીએ.’
પ્રીતિ ઝિંટાએ લખ્યું હતું કે, ‘આપણે આ દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. ધરપકડ સમયે બળાત્કારીનો ચહેરો ઢંકાયેલો રહે છે, જ્યારે પીડિતાનો ચહેરો અને નામ મીડિયામાં દરેક જગ્યાએ લીક થઈ જાય છે તે જોવું અત્યંત દુઃખદાયક છે. “ન્યાયની ગતિ ક્યારેય ઝડપી હોતી નથી, સજા ક્યારેય આપવામાં આવતી નથી, લોકોને ક્યારેય જવાબદાર ગણવામાં આવતા નથી.”
રિતિક રોશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘આપણે એક એવો સમાજ બનાવવાની જરૂર છે જ્યાં દરેક સુરક્ષિત અનુભવે. પણ દાયકાઓ લાગશે. આશા છે કે આવનારી પેઢી વધુ સારી હશે. અત્યારે ન્યાય એ થશે કે આવા અત્યાચારો પર કડક પ્રતિબંધ લાદવામાં આવે. આનો એકમાત્ર રસ્તો એ છે કે આરોપીઓને કડક સજા આપવામાં આવે જેથી આવા ગુનેગારો ડરી જાય. આ આપણને જોઈએ છે. હું પીડિત પરિવારની સાથે ઊભો છું અને તેમની પુત્રી માટે ન્યાયની માંગણી કરું છું અને જે ડોક્ટરો પર હુમલો કરવામાં આવ્યો છે તેમની સાથે પણ હું ઊભો છું.’
દિગ્દર્શક ઝોયા અખ્તરે લખ્યું હતું કે, ‘હું એ દિવસની રાહ જોઈ રહી છું જ્યારે મહિલાઓ સુરક્ષિત અને મુક્ત થઈ શકે.’
આલિયાએ કહ્યું- ‘મહિલાઓ ક્યાંય સુરક્ષિત નથી’
આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તેણે લખ્યું, ‘બીજો ક્રૂર બળાત્કાર. બીજો દિવસ જ્યારે અમને અહેસાસ કરાવવામાં આવ્યો કે મહિલાઓ ક્યાંય પણ સુરક્ષિત નથી.’
આલિયા ભટ્ટે એક પોસ્ટ શેર કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
બીજી એક હ્રદયસ્પર્શી ઘટના આપણને યાદ અપાવી દે છે કે, (નિર્ભયા બળાત્કાર કેસ)ને એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે પરંતુ આજે પણ કંઈ બદલાયું નથી.
9 ઓગસ્ટના રોજ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. જે બાદ તબીબોએ પ્રદર્શન કર્યું હતું. દેશભરના તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. 14 ઓગસ્ટની મોડી રાત્રે એક ટોળું એ જ હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને તોડફોડ કરી હતી.