1 કલાક પેહલા
- કૉપી લિંક
ઝીનત અમાનની પોસ્ટને લઈને શબ્દયુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઝીનતે એક પોસ્ટ દ્વારા લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી. સૌથી પહેલા પીઢ અભિનેત્રીઓ મુમતાઝ અને સાયરા બાનુએ આ વાતનો ઉધડો લીધો. હવે સોની રાઝદાને મુકેશ ખન્નાના વાંધાઓનો જવાબ આપ્યો છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન મુકેશ ખન્નાએ ઝીનતની સલાહ પર વાંધો વ્યક્ત કરતા કહ્યું હતું,’આ આપણી સંસ્કૃતિ નથી. ઝીનત અમાને શરૂઆતથી જ પોતાનું જીવન પશ્ચિમી સભ્યતા પ્રમાણે જીવ્યું છે, પરંતુ તેણે સમજવું જોઈએ કે ભારતીય સંસ્કૃતિમાં લિવ-ઈન રિલેશનશિપને સ્વીકારી શકાય નહીં.’

‘ઝીનત અમાન જે વાત કરી રહી છે તે એ છે કે છોકરો અને છોકરી લગ્ન પહેલા સાથે રહેવાથી એકબીજા વિશે જાણશે, પરંતુ આ સ્વીકાર્ય નથી. જો છોકરો અને છોકરી પતિ-પત્નીની જેમ સાથે રહે અને તેમની વચ્ચે બધું ઠીકઠાક ન ચાલે તો શું થશે? આવી સ્થિતિમાં જે લોકો આવી વાતો કરી રહ્યા છે તેઓએ સમજી વિચારીને બોલવું જોઈએ.’

આ અંગે સોની રાઝદાને પોતાની પ્રતિક્રિયા આપી છે
સોની રાઝદાને ઝીનત અમાનને ટેકો આપતા મુકેશ ખન્નાને જવાબ આપ્યો – ‘હે ભગવાન, આપણે કલ્પના પણ નથી કરી શકતા કે જો કોઈ કપલ લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહે છે અને પછી તેમને એકબીજાની સાથે ન બને તો શું થશે? આના વિશે વિચારીને મન અસ્વસ્થ થઈ જાય છે.’ ઘણા યુઝર્સ સોનીને સલાહ આપી રહ્યા છે કે મુકેશ ખન્નાની વાત પર ધ્યાન ન આપો.

પુત્રી આલિયા ભટ્ટ સાથે સોની રાઝદાન.
મુમતાઝ અને સાયરા બાનુએ પણ ઝીનતને ટોણો માર્યો હતો
પીઢ અભિનેત્રી મુમતાઝે ઝીનત અમાનની પોસ્ટ પર ઝાટકણી કાઢી હતી. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સંબંધો અંગે સલાહ આપનાર છેલ્લી વ્યક્તિ ઝીનત અમાન હોવી જોઈએ. કારણ કે તેનું પોતાનું લગ્ન જીવન ‘નર્ક’ રહ્યું છે. મુમતાઝે એમ પણ કહ્યું હતું કે, ‘ઝીનત આવી સલાહ આપીને કૂલ આંટી બનવાનો પ્રયાસ કરી રહી છે અને તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ વધારવા માંગે છે.’

‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથે વાત કરતા સાયરા બાનુએ કહ્યું, ‘હું સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, તેથી હું તેના વિશે વધુ વાંચતી નથી. મુમતાઝ અને ઝીનત જે કહે છે તેને હું અનુસરતી નથી કે સ્વીકારતી નથી. અમે ઘણા જૂના જમાનાના લોકો છીએ. અમારો ટ્રેન્ડ 40-50 વર્ષ પહેલાનો છે.ટ
સાયરા બાનુએ એમ પણ કહ્યું કે તે લિવ-ઈન રિલેશનશિપને બિલકુલ સપોર્ટ કરતી નથી. તેણીએ કહ્યું, ‘હું આ સાથે ક્યારેય સહમત નહીં થઈ શકું. હું ક્યારેય આની હિમાયત કરીશ નહીં. મારા માટે આ પ્રકારનો સંબંધ અકલ્પનીય અને અસ્વીકાર્ય છે.’

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ ઝીનત અમાને સોશિયલ મીડિયા પર એક મોટી પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં તેણે કપલ્સને લગ્ન પહેલા લિવ-ઈન કરવાની સલાહ આપી હતી.