21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતના સૌથી ધનિક બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે, જેના માટે સોના-ચાંદીથી બનેલા લગ્નના કાર્ડનું વિતરણ પણ શરૂ થઈ ગયું છે. અનંત-રાધિકાના લગ્ન પહેલા અંબાણી પરિવારે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, જેમાં તેમણે પોતાના ખર્ચે મોટા પાયે ગરીબ લોકો માટે લગ્નનું આયોજન કર્યું છે.
અંબાણી પરિવાર સમૂહ લગ્નમાં જોવા મળ્યો…
![પાલઘર સ્થિત રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/02/comp-19_1719922786.gif)
પાલઘર સ્થિત રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો
![નીતા અંબાણી લાલ સાડીમાં સમૂહ લગ્નમાં સામેલ થયાં હતાં](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/02/comp-8_1719922803.gif)
નીતા અંબાણી લાલ સાડીમાં સમૂહ લગ્નમાં સામેલ થયાં હતાં
![મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ રિલાયન્સ પાર્કમાં લગ્ન માટે પહોંચેલા તમામ યુગલોનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/02/comp-18_1719922463.gif)
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ રિલાયન્સ પાર્કમાં લગ્ન માટે પહોંચેલા તમામ યુગલોનું હાથ જોડીને સ્વાગત કર્યું હતું
![મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી પણ તેમની પત્ની શ્લોકા મહેતા સાથે આ સમૂહ લગ્ન કાર્યક્રમનો ભાગ બન્યા હતા](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/02/comp-4-1_1719922866.gif)
મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી પણ તેમની પત્ની શ્લોકા મહેતા સાથે આ સમૂહ લગ્ન કાર્યક્રમનો ભાગ બન્યા હતા
![શ્લોકા મહેતા મલ્ટીકલર્ડ ટ્રેડિશનલ જોડીમાં ઈવેન્ટમાં પહોંચી હતી. તે કાર્યક્રમમાં લોકોને મદદ કરતી જોવા મળી હતી.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/02/comp-110_1719922476.gif)
શ્લોકા મહેતા મલ્ટીકલર્ડ ટ્રેડિશનલ જોડીમાં ઈવેન્ટમાં પહોંચી હતી. તે કાર્યક્રમમાં લોકોને મદદ કરતી જોવા મળી હતી.
![તમામ યુગલોએ નીતા અંબાણીના આશીર્વાદ લીધા હતા](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/02/comp-102_1719924173.gif)
તમામ યુગલોએ નીતા અંબાણીના આશીર્વાદ લીધા હતા
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/02/comp-19_1719922512.gif)
ઈશા અંબાણીએ પણ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો
મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ પણ પતિ આનંદ પીરામલ સાથે સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. તેમણે કપલ્સને ભેટ આપી હતી.
અનંત લગ્ન પહેલા આમંત્રણ આપવા કાલી મંદિર પહોંચ્યો હતો
હાલમાં જ અનંત અંબાણી નેરલના કૃષ્ણ કાલી મંદિર પહોંચ્યા હતા. મંદિરમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે તે તે લગ્ન માટે આમંત્રણ આપવા મંદિરમાં આવ્યો છે. અનંત અંબાણી મંદિરમાં આયોજિત પૂજા અને હવનમાં ભાગ લીધો હતો.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/02/comp-1-10_1719923082.gif)
અનંત અંબાણી 12 જુલાઈએ રાધિકા સાથે લગ્ન કરશે
બે ભવ્ય પ્રી-વેડિંગ સમારંભો પછી, પહેલા જામનગરમાં અને પછી ઈટાલીમાં ક્રૂઝમાં, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્નના બંધનમાં બંધાશે. તેમના લગ્ન રિલાયન્સ કંપનીના Jio વર્લ્ડ સેન્ટરમાં થવા જઈ રહ્યા છે, જેમાં ભારત અને દુનિયાના ઘણા પ્રખ્યાત લોકો હાજરી આપવાના છે. લગ્નના બીજા દિવસે 13 જુલાઈના રોજ એક શુભ આશીર્વાદ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ મહેમાનો નવદંપતીને આશીર્વાદ આપશે. આ પછી, 14 જુલાઈના રોજ કપલનું રિસેપ્શન થવાનું છે.
અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ સોના-ચાંદીથી બનેલું છે
અનંત અંબાણી અને રાધિકાના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. VVIP ગેસ્ટને આપવામાં આવેલા આમંત્રણ પત્રમાં ચાંદીનું મંદિર છે. અંદર 4 સોનાની મૂર્તિઓ છે. બીજું આમંત્રણ કાર્ડ ગોલ્ડન બોક્સમાં છે. આમાં મંદિરને બોક્સની અંદર નાના સ્વરૂપમાં રાખવામાં આવ્યું છે. આ પણ દૈવી થીમ પર આધારિત છે.
![નાના કપાટ ખોલ્યા પછી ચાંદીનું મંદિર દેખાશે.આ મંદિરમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની મૂર્તિઓ છે.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/gif10_1719557145.gif)
નાના કપાટ ખોલ્યા પછી ચાંદીનું મંદિર દેખાશે.આ મંદિરમાં ભગવાન ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની મૂર્તિઓ છે.
હાથે લખાયેલો પત્ર, બોક્સ ખોલતાં જ વિષ્ણુ મંત્ર ગુંજે છે
- એક સુંદર એમ્બ્રોઇડરી કરેલ વેડિંગ બોક્સ ઉપર ભગવાન વિષ્ણુનું ચિત્ર છે.
- આ તસવીરમાં નારાયણના હૃદયમાં લક્ષ્મી બતાવવામાં આવ્યાં છે.
- આ બોક્સ ખોલતાની સાથે જ વિષ્ણુ મંત્ર ગુંજવા લાગે છે.
- લાલ રંગનું આમંત્રણ બોક્સ ખોલતાં જ એક નાનું ચાંદીનું મંદિર દેખાય છે.
- તેમાં ગણપતિ, રાધા-કૃષ્ણ અને દેવી દુર્ગાની સોનાની મૂર્તિઓ છે.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/comp-118_1719558912.gif)
એક પાઉચમાં પશ્મિના શાલ, બીજામાં રૂમાલ
- બીજા આમંત્રણ કાર્ડમાં, પ્રથમ એક નાનું પરબિડીયું છે તેમાં નીતા અંબાણીના હાથથી લખાયેલો પત્ર છે.
- આમાં તે પોતાની લાગણીઓ વ્યક્ત કરી રહ્યાં છે અને આમંત્રણ આપી રહ્યાં છે.
- આ પત્રના જુદા જુદા પૃષ્ઠો પર વિવિધ ધાર્મિક વિધિઓ વિશે માહિતી છે.
- ઉપરના ભાગમાં વૈકુંઠ ધામનો નજારો જોવા મળે છે.
- એક પાઉચમાં કાશ્મીરના કલાકારો દ્વારા બનાવેલી પશ્મિના શાલ છે.
- બીજું પાઉચ ખોલતાં ત્યાં અનંત-રાધિકાના આદ્યાક્ષરો સાથેનો રૂમાલ છે, જેના પર ભરતકામ કરેલું છે.
- અંતે ઋગ્વેદનો એક શ્લોક લખવામાં આવ્યો છે.
![કાર્ડમાં નીતા અંબાણીનો હાથે લખાયેલો પત્ર પણ છે.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/comp-119_1719558918.gif)
કાર્ડમાં નીતા અંબાણીનો હાથે લખાયેલો પત્ર પણ છે.
લગ્નના કાર્યક્રમો 3 દિવસ સુધી ચાલશે
અનંત અને રાધિકાએ અગાઉ માર્ચની શરૂઆતમાં અને મેના અંતમાં પ્રી-વેડિંગ સેરેમની કરી હતી. તેમની પ્રથમ પ્રી-વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં યોજાઈ હતી, જ્યારે બીજી સેરેમની ક્રૂઝમાં યોજાઈ હતી.
![આ કપલે માર્ચની શરૂઆતમાં જામનગરમાં તેમનું પહેલું પ્રી-વેડિંગ ફંક્શન સેલિબ્રેટ કર્યું હતું.](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/screenshot-2024-05-27-192423_1719558949.png)
આ કપલે માર્ચની શરૂઆતમાં જામનગરમાં તેમનું પહેલું પ્રી-વેડિંગ ફંક્શન સેલિબ્રેટ કર્યું હતું.
આ સમાચાર સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો…
મુંબઈમાં 12મી જુલાઈના રોજ અનંત-રાધિકાના લગ્નઃ Jio વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી ધાર્મિક વિધિઓ ચાલુ રહેશે; 14મી જુલાઈના રોજ રિસેપ્શન
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/06/28/untitled-4-31717056752_1719557351.gif)
મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થશે. લગ્નના તમામ ફંક્શન મુંબઈના Jio વર્લ્ડ સેન્ટરમાં યોજાશે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…