6 મિનિટ પેહલા
- કૉપી લિંક
નરીમાન ઈરાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા હતાં. અમિતાભ બચ્ચનની જાણીતી ફિલ્મ ‘ડોન’ નિર્માતા નરીમાન ઈરાનીએ લાખો રૂપિયાની લોન ચૂકવવા માટે બનાવી હતી. પરંતુ ફિલ્મ પૂરી થાય તે પહેલાં જ તેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જોકે, ફિલ્મનું શૂટિંગ અટક્યું ન હતું પરંતુ પૂર્ણ થયું હતું.
ખરેખર, નરીમાન ઈરાનીએ ‘જિંદગી-જિંદગી’ નામની ફિલ્મ બનાવી હતી, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. આ ફિલ્મને કારણે તેમના પર લાખોનું દેવું થઈ ગયું હતું.
નરીમાન ફિલ્મ ‘રોટી કપડા ઔર મકાન’ દરમિયાન અમિતાભ બચ્ચન-ઝીનત અમાન અને નિર્દેશક ચંદર બારોટને મળ્યા હતા. આ ફિલ્મમાં નરીમાન સિનેમેટોગ્રાફર તરીકે કામ કરી રહ્યા હતા.
આ ફિલ્મના કલાકારો અને દિગ્દર્શકોના નરીમાન ઈરાની સાથે સારા સંબંધો હતા. તેઓ બધા જાણતા હતા કે નિર્માતા પર ભારે દેવું છે. તેમના સારા સંબંધોને કારણે અમિતાભ બચ્ચન, ઝીનત અમાન અને ફિલ્મના નિર્દેશક ચંદરે આ ફિલ્મ માટે કોઈ ફી લીધી ન હતી. આ ફિલ્મમાં ફ્રીમાં કામ કર્યું હતું.
અમિતાભ બચ્ચન-ઝીનત અમાન અને દિગ્દર્શક ચંદરે કહ્યું કે અમે પૈસા ત્યારે જ લઈશું જ્યારે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરશે.
‘ડોન’ની સ્ક્રિપ્ટ કોઈ ખરીદવા માગતું ન હતું
ચંદર બારોટ અને નરીમાન ઈરાની પહેલા સલીમ-જાવેદ પાસેથી ડોનની સ્ક્રિપ્ટ ખરીદવા કોઈ તૈયાર નહોતું. દેવ આનંદ, પ્રકાશ મહેરા અને જીતેન્દ્રએ તેઆ ફિલ્મની ના પાડી દીધી હતી. તે સમય સુધી સ્ક્રિપ્ટને કોઈ ટાઇટલ આપવામાં આવ્યું ન હતું. સ્ક્રિપ્ટમાં ડોન માત્ર એક પાત્ર હતું. જ્યારે નરીમાન ઈરાનીએ સલીમ ખાનનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું- ‘અમારી પાસે બ્રેકફાસ્ટ સ્ક્રિપ્ટ પડી છે, જેને કોઈ લઈ રહ્યું નથી.’ તેના પર ઈરાનીએ કહ્યું, ‘ચાલશે’. આ રીતે ‘ડોન’ ફ્લોર સુધી પહોંચ્યો.
મનોજકુમારે સલાહ આપી હતી
ફિલ્મ શરૂ કરતા પહેલાં નરીમાને ફિલ્મની સ્ક્રિપ્ટ મનોજ કુમારને સંભળાવી હતી. વાર્તા સાંભળ્યા પછી મનોજ કુમારે તેમને થોડી સલાહ આપી. તેમણે કહ્યું કે ફિલ્મ એક્શનથી ભરપૂર છે, તેથી સેકન્ડ હાફ પછી એક ગીત ઉમેરો. મનોજ કુમારની સલાહને પગલે નરીમન સંગીતકાર કલ્યાણજી આનંદ પાસે ગયા. જ્યારે તેમણે મ્યુઝિક કમ્પોઝરને આખી વાત કહી, ત્યારે જ ફિલ્મનું પ્રખ્યાત ગીત ‘ખઈકે પાન બનારસ વાલા’ બન્યું.
અમિતાભ બચ્ચનની ફિલ્મ ડોનની વાર્તા સલીમ-જાવેદની જોડીએ લખી હતી. તેના ડિરેક્ટર ચંદર હતા. ‘ડોન’નું શૂટિંગ પૂરું થાય એ પહેલાં જ નરીમાન ઈરાનીનું અવસાન થયું. કમલિસ્તાન સ્ટુડિયોમાં થયેલા અકસ્માતમાં નિર્માતાએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું ન હતું. ઈરાનીની પત્ની સલમા અને ફિલ્મની બાકીની ટીમે ફિલ્મને પૂર્ણ કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા.
જો અહેવાલોનું માનીએ તો ડોનની રિલીઝ પછી કોઈ પ્રચાર કે પ્રસાર કરવામાં આવ્યો નથી. તે વર્ષ 1978ની ત્રીજી સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઈ.