21 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે.
સલમાન ખાનને ઘરમાં ઘૂસી મારી નાખવાની ધમકી આપવાના મામલામાં તપાસ વડોદરા સુધી પહોંચી છે. વાઘોડિયા તાલુકાના રવાલ ગામના યુવકે આ મેસેજ કર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે મુંબઈ પોલીસ અત્રે દોડી આવી હતી અને પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં આ યુવક માનસિક રીતે સ્વસ્થ હોવાનું બહાર આવ્યું છે.
મુંબઈ પોલીસના વરલી ટ્રાફિક કંટ્રોલ રૂમના વોટ્સએપ નંબર પર અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી હતી. આ મેસેજમાં અભિનેતાને તેના ઘરે મારી નાખવાની અને તેના વાહનમાં બોમ્બ લગાવવાની ધમકી આપવામાં આવી હતી. તપાસકર્તાઓએ ધમકીભર્યો મેસેજ મોકલનાર ગુજરાતના વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકને શોધી કાઢ્યો હતો.
માનસિક અસ્થિર અને સારવાર લેતા વ્યક્તિને 2-3 દિવસમાં વરલી પોલીસ સમક્ષ હાજર થવા નોટિસ ફટકારાઇ છે. અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 351 (2) (3) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો. તપાસ શરૂ કરી હતી અને તેનો રેલો વાઘોડિયા તાલુકાના રવાલ ગામે પહોંચ્યો હતો. પરિણામે મુંબઈ પોલીસ ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રવાલ ગામે પહોંચી હતી પૂછપરછ દરમ્યાન ધમકી ભર્યો મેસેજ કરનાર યુવકની માનસિક હાલત યોગ્ય નહીં હોવાનું બહાર આવ્યું છે. પરિણામે પરિવારજનોને યુવકને ત્રણ દિવસમાં મુંબઈ પોલીસ સમક્ષ દાક્તરી પ્રમાણ પત્ર સાથે હાજર રહેવા જણાવ્યું છે.
બોલિવૂડ એક્ટરને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈના વર્લી વિસ્તારમાં સ્થિત પરિવહન વિભાગને એક અજાણ્યા વ્યક્તિએ મેસેજ મોકલીને સલમાન ખાનની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. સલમાને મળેલી ધમકીના સંદર્ભમાં વરલી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.
રવિવારે મોડી રાત્રે મોકલવામાં આવેલા મેસેજમાં એવું પણ લખ્યું હતું કે- સલમાન ખાનના ઘરમાં ઘૂસીને તેને મારી નાખશે. ગયા વર્ષે 14 એપ્રિલે જ સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગની ઘટના બની હતી. આ હુમલાની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી હતી. આ કેસમાં પોલીસે 7 લોકોની ધરપકડ કરી હતી. આમાંથી 2 આરોપીઓને જામીન મળી ગયા છે અને એક આરોપીએ આત્મહત્યા કરી લીધી છે.
ગયા વર્ષે આ જ દિવસે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું ગયા વર્ષે (14 એપ્રિલ) સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બાંદ્રામાં સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે બે બાઇક સવારોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ બાદ ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે પહોંચી હતી. ફાયરિંગ થયું ત્યારે સલમાન તેમના ઘરે જ હતો. ખાનને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી.

14 એપ્રિલ, 2024ના રોજ સવારે 5 વાગ્યે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર ફાયરિંગ થયું હતું.
સલમાનની સુરક્ષા વધારવામાં આવી હતી આ ઘટના બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ સલમાન ખાન સાથે ફોન પર વાત કરી હતી. શિંદેએ મુંબઈ પોલીસ કમિશનર સાથે પણ વાત કરી અને તેમને સલમાનની સુરક્ષા વધારવા માટે કહ્યું હતું. ત્યારથી સલમાનના ઘરની લોખંડી સુરક્ષા બંદોબસ્ત રહે છે.
7.8 બોરની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું મુંબઈ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું કે જે બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે 7.6 બોરની બંદૂક હતી. ફોરેન્સિક એક્સપર્ટને લાઈવ બુલેટ મળી હતી. પોલીસે બંને આરોપીઓની બાઇક કબજે કરી હતી.

પોલીસને CCTV ફૂટેજ પણ મળ્યા હતા જેમાં આરોપી દેખાય છે.
આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી હતી. ટીમના સભ્ય અનમોલ બિશ્નોઈએ એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં લખ્યું છે કે- ભવિષ્યમાં પણ સલમાન પર આવો હુમલો થઈ શકે છે. જોકે, પોલીસ દ્વારા આ પોસ્ટની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
‘ભગવાને જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું’ સલમાન ખાને તાજેતરમાં લોરેન્સ ગેંગ તરફથી સતત મળી રહેલી ધમકીઓ પર પહેલીવાર મૌન તોડ્યું. ફિલ્મ ‘સિકંદર’ ની પ્રેસ મીટમાં, એક્ટરે કહ્યું હતું કે- જ્યાં સુધી ભગવાને જેટલી ઉંમર લખી હશે એટલું જીવીશું. વધેલી સુરક્ષા અંગે સલમાને કહ્યું- ક્યારેક આટલા બધા લોકોને સાથે લઈ ચાલવું મુશ્કેલ બની જાય છે.
ધમકી બાદ Y+ સુરક્ષા મળી, 11 સૈનિકો સાથે જ રહે છે અગાઉ, મહારાષ્ટ્ર પોલીસના કર્મચારીઓ સલમાન સાથે રહેતા હતા, પરંતુ ધમકીઓ મળ્યા બાદ તેને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ સુરક્ષા વર્તુળમાં 11 સૈનિકો આખો દિવસ સલમાન સાથે રહે છે, જેમાં એક કે બે કમાન્ડો અને 2 પીએસઓ પણ સામેલ છે. સલમાનના વાહનને આગળ અને પાછળ રાખવા માટે હંમેશાં બે વાહનો હોય છે. આ સાથે સલમાનની કાર પણ સંપૂર્ણપણે બુલેટપ્રૂફ છે.
શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ જણાવ્યું હતું કે, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદો અને વ્યવસ્થા નબળી પડી છે, સરકારે સંજ્ઞાન લેવું જોઈએ. ગુનેગારો નિર્ભયપણે ફરતા હોય છે.
આ પહેલાં કેટલી વાર ધમકીઓ મળી છે?
- જૂન 2022માં જ્યારે સલમાનના પિતા સલીમ ખાન, જે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા, ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને એક અજાણ્યો પત્ર મળ્યો જેમાં તેમને અને સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં લખ્યું હતું – ‘સલમાન ખાન તમારી હાલત મુસેવાલા જેવી કરી દેવામાં આવશે.’ આ પછી સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીઓની મદદથી પોલીસનો સંપર્ક કર્યો અને આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો.
- ગત વર્ષે મુંબઈ પોલીસે સલમાનને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિની અટકાયત કરી હતી. ધમકી આપનાર વ્યક્તિ 16 વર્ષનો સગીર હતો. તેણે કોલ દ્વારા મુંબઈ પોલીસને ધમકી આપી અને તેનું નામ રોકીભાઈ તરીકે જાહેર કર્યું. તેણે કહ્યું કે તે રાજસ્થાનના જોધપુરનો રહેવાસી છે અને 30 એપ્રિલે સલમાનને મારી નાખશે.
- ગયા વર્ષે જ જોધપુરના રહેવાસી ધાકદ્રમે સલમાનના ઓફિશિયલ મેઈલ પર 3 ઈ-મેલ મોકલ્યા હતા. તેમાં લખ્યું હતું કે સલમાન ખાન તમારો આગામી નંબર છે, જોધપુર આવતા જ તમને સિદ્ધુ મૂસેવાલાની જેમ મારી નાખવામાં આવશે.
- જાન્યુઆરી 2024માં બે અજાણ્યા લોકોએ ફેન્સિંગ વાયર તોડીને સલમાન ખાનના ફાર્મ હાઉસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના હાથે ઝડપાઈ જતાં બંનેએ પોતાને સલમાનના ચાહક જાહેર કર્યા હતા. તેમની પાસેથી નકલી આધારકાર્ડ મળી આવ્યાં હતાં. આ કારણે બંને વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. લોરેન્સ ગેંગના નિશાના પર સલમાન ખાન છે.
સલમાન સાથે લોરેન્સની દુશ્મનીનું કારણ
- સલમાન પર 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન રાજસ્થાનનાં જંગલોમાં કાળા હરણનો શિકાર કરવાનો આરોપ છે. સલમાન ઉપરાંત સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ કોઠારી પણ આરોપી હતાં.
- ત્યારે બિશ્નોઈ સમુદાયે પણ સલમાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ માટે જોધપુર કોર્ટે સલમાનને પાંચ વર્ષની જેલની સજા પણ સંભળાવી હતી, જોકે બાદમાં તેમને આ કેસમાં જામીન મળી ગયા હતા. આ કારણે ગેંગસ્ટર લોરેન્સ સલમાન ખાનને મારવા માગે છે.
- દિલ્હી અને મુંબઈ પોલીસે સલમાન ખાનના ઘર પર ગોળીબાર કરવાની યોજના ઘડવા બદલ લોરેન્સના ઘણા સાગરીતોની ધરપકડ કરી છે. પરંતુ હજુ પણ લોરેન્સ તેના ગેંગસ્ટરોને કામે લગાડી રહ્યો છે. થોડા દિવસ પહેલાં જ મુંબઈમાં સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.