25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફેમસ કોમેડિયન અને એક્ટર કપિલ શર્માએ પોતાની કોમેડીથી લોકોના દિલ જીતી લીધા છે. કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ આ દિવસોમાં નેટફ્લિક્સ પર ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શર્મા શો’ના નામથી ધૂમ મચાવી રહ્યો છે. કપિલ શર્માએ ઈન્ડસ્ટ્રીમાં સખત મહેનત કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. પરંતુ કપિલ શર્માના કરિયરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, જેણે તેને હચમચાવી દીધો હતો. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં કપિલ શર્માએ જણાવ્યું હતું કે તેણે બે બોલિવૂડ ફિલ્મો પ્રોડ્યુસ કરી હતી, જેના કારણે તેનું બેંક ખાતું સાવ ખાલી થઈ ગયું હતું. તેમનું બેંક બેલેન્સ પણ શૂન્ય થઈ ગયું હતું.
‘માત્ર પૈસાથી પ્રોડ્યુસર નથી બની જવાતું’ આ વિશે વાત કરતાં કપિલ શર્માએ કહ્યું, “હું પાગલ થઈ ગયો. મેં બે ફિલ્મો કરી. ખરેખર એવું થયું કે મારી પાસે ઘણા પૈસા હતા અને મેં વિચાર્યું કે આ પૈસાથી કેમ પ્રોડ્યુસર ન બનું. પરંતુ કહેવાય છે ને કે માત્ર પૈસાથી પ્રોડ્યુસર નથી બની જવાતું, પ્રોડ્યૂસર બનવા માટે અલગ વિચાર જોઈએ, પ્રોડ્યૂસર બનવા માટે અલગથી ટ્રેનિંગ લેવી પડે નિર્માતા બનવા માટે, મેં ઘણા પૈસા ગુમાવ્યા અને મારું બેંક ખાતું પણ શૂન્ય થઈ ગયું.” કપિલ શર્માએ જણાવ્યું કે તેની પત્ની ગિન્ની ચતરથે તેને આ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ કરી.
ફિલ્મો સ્ક્રીન પર કંઈ ખાસ ઊકાળી શકી નહી નોંધનીય છે કે, કપિલ શર્માએ ‘ફિરંગી’ અને ‘સન ઑફ મનજીત સિંહ’નું નિર્માણ કર્યું હતું. જ્યાં ‘ફિરંગી’ તેની બોલિવૂડ ફિલ્મ હતી, જે મોટા પડદા પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. બીજી તરફ, ‘સન ઑફ મનજીત સિંહ’ પંજાબી ફિલ્મ હતી. પરંતુ આ ફિલ્મ પણ સ્ક્રીન પર કંઈ ખાસ ઊકાળી શકી નહોતી. કપિલ શર્માએ ‘કિસ કિસકો પ્યાર કરું’થી અભિનયની દુનિયામાં પદાર્પણ કર્યું હતું.