12 મિનિટ પેહલા
- કૉપી લિંક
આલિયા ભટ્ટની તાજેતરમાં રીલિઝ થયેલી ‘જિગરા’ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી નથી પરંતુ આ ફિલ્મ વિવાદોમાં ચોક્કસ ફસાઈ ગઈ છે. વાસ્તવમાં, અભિનેત્રી અને ટી-સિરીઝના માલિક ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલાએ આલિયા ભટ્ટ પર તેની ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનનાં આંકડા ખોટા બતાવી છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે.
જો કે, આલિયાએ દિવ્યા ખોસલાની આ ટિપ્પણી પર કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ કરણ જોહરે ઈશારામાં દિવ્યાને મૂર્ખ ગણાવી છે. એવી અટકળો છે કે આલિયા અને દિવ્યા વચ્ચેની આ લડાઈમાં રણબીર કપૂરને નુકસાન થઈ શકે છે. કારણ કે, દિવ્યા ખોસલાના પતિ ભૂષણ કુમાર અભિનેતાની આગામી ફિલ્મ ‘એનિમલ પાર્ક’ પ્રોડ્યુસ કરી રહ્યા છે.
શું રણબીર કપૂર ‘એનિમલ પાર્ક’ છોડી દેશે? એવું લાગી રહ્યું છે કે બોલીવુડની બે અભિનેત્રીઓ વચ્ચેના વિવાદમાં તેનો પતિ પણ ફસાઈ ગયો છે. કારણ કે, આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂરે દિવ્યા ખોસલાના પતિ ભૂષણ કુમારની ફિલ્મ ‘એનિમલ પાર્ક’ સાઈન કરી છે. દિવ્યા અને આલિયા વચ્ચેની લડાઈ વચ્ચે, અટકળો શરૂ થઈ ગઈ છે કે શું રણબીર કપૂર હવે ભૂષણ કુમાર દ્વારા નિર્મિત ફિલ્મમાંથી બહાર નીકળી જશે, જો કે એવું થવાની શક્યતા બહુ ઓછી છે કારણ કે અભિનેતા ખૂબ જ વ્યાવસાયિક છે.
ભૂષણ કુમાર રણબીર સાથે કામ કરશે? તે જ સમયે, ભૂષણ કુમાર તેની પત્ની દિવ્યા ખોસલાના આલિયા સાથેના વિવાદને પણ નજરઅંદાજ કરી શકે છે. તેનાથી રણબીર કપૂર સાથેની તેની આગામી ફિલ્મ ‘એનિમલ પાર્ક’ પર કોઈ અસર નહીં થાય. નોંધનીય છે કે, જ્યારે દિવ્યા ખોસલાએ સિંગર સોનુ નિગમ પર નિશાન સાધ્યું હતું ત્યારે ભૂષણ કુમારે તેની તમામ ફરિયાદો દૂર કરી દીધી હતી.
‘એનિમલ પાર્ક’ની વાત કરીએ તો આ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી અને રિલીઝ ડેટ પણ દૂર છે. થોડા મહિનામાં રણબીર અને ભૂષણ આ સમસ્યાનો ઉકેલ લાવી શકે છે અને આગળ વધી શકે છે. જો કે, આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.
દિવ્યા ખોસલા અને આલિયા ભટ્ટ વચ્ચે શું છે વિવાદ? દિવ્યા ખોસલાએ આલિયા ભટ્ટની ટીકા કરી હતી અને તેની ફિલ્મ ‘જિગરા’ના બોક્સ ઓફિસ કલેક્શનમાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. દિવ્યાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને આલિયા પર કટાક્ષ કર્યો અને ખુલાસો કર્યો કે, કેવી રીતે આખું થિયેટર ખાલી હતું. તેણે તો એમ પણ કહ્યું કે આલિયા અને તેની ટીમ ફિલ્મની સફળતાનું પ્રદર્શન કરી રહી છે. દિવ્યાએ લખ્યું હતું કે, ”જિગરા શો માટે સિટી મોલ પીવીઆર ગઈ હતી. થિયેટરો સાવ ખાલી હતા…બધે જ થિયેટર ખાલી થઈ રહ્યા હતા. આલિયા ભટ્ટની જિગર ખરેખર ઘણી છે તેણે પોતે ટિકિટ ખરીદી અને નકલી કલેક્શનની જાહેરાત કરી. આશ્ચર્ય થાય છે કે પેઇડ મીડિયા કેમ ચૂપ છે?’
જ્યારે આલિયાએ દિવ્યાની ટિપ્પણી પર કોઈ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ તેના સહ-નિર્માતા કરણ જોહરે એક નોટ શેર કરી, કોઈનું નામ લીધા વિના કરણે સીધું કહ્યું કે,- તમે મૂર્ખ લોકોને આપી શકો તેવું શ્રેષ્ઠ ભાષણ છે. તેણે લખ્યું, “મૂર્ખાઓને આપવામાં આવેલી સૌથી સારી સ્પીચ મૌન છે.”