રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં રોગચાળો વકર્યો છે. અને સતત ચોથા સપ્તાહે મનપાનાં ચોપડે ટાઇફોઇડ, ડેંગ્યુ અને કમળાનાં દર્દીઓ પણ સામે આવ્યા છે. જેમાં જોખમી ટાઈફોઈડ તાવનાં 3 અને કમળાનાં 4 દર્દીઓ તેમજ ડેંગ્યુનાં 2 સહિત વિવિધ રોગોના મળી 1991 કેસ નોંધાતા આરોગ્ય વ
.
ટાઈફોઈડના 3, ડેન્ગ્યુના 2 કેસ અને કમળાના 4 કેસ નોંધાયા પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 1528 સામે ચાલુ સપ્તાહે 1991 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 901 કેસ, ઝાડા-ઉલટીનાં 229, સામાન્ય તાવનાં 852 કેસ નોંધાયા છે. ઉપરાંત સતત ત્રીજા સપ્તાહે અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનાં 3 કેસ અને કમળાનાં પણ વધુ 4 કેસ નોંધાયા છે તો ડેંગ્યુનાં વધુ 2 કેસ સામે આવ્યા છે. આ આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો દર્દીનો કુલ આંકડો 9,500 કરતા વધુ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવું મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, હાલમાં તાપમાનમાં અચાનક વધારો થતાં ઉનાળાનો અનુભવ શરૂ થયો છે. આ વાતાવરણમાં વાયરલ ઇન્ફેક્શન વધવાની શક્યતા રહેતી હોય છે ત્યારે લોકોએ બહારનો ખોરાક લેવાથી દૂર રહેવાની સાથે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ અને સામાન્ય સૂકી ઉધરસ માટે હળદરનો ઉપયોગ કરવો એ હિતાવહ છે. આ ઉપરાંત જો કોઈપણ પ્રકારે તબિયત વધુ લથડતી લાગે તો તરત જ મનપાનાં આરોગ્ય કેન્દ્રો અથવા સિવિલ હોસ્પિટલમાં નિષ્ણાંત ડૉક્ટર્સની સલાહ લઈ તે મુજબની દવા કરવી જરૂરી છે.
589 ઘરમાં ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરી રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વી.બી.ડી વોલેન્ટીયર્સ દ્વારા તા. 3 ફેબ્રુઆરીથી લઈ 9 માર્ચ સુધીમાં 20,253 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તેમજ 589 જેટલા ઘરમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે.
સ્કૂલ-કોલેજો સહિત કુલ 167 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 167 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 133 તો કોર્મશીયલમાં કુલ 41 આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ મચ્છરની ઉત્પત્તિ બદલ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવી રહ્યો છે. જોકે ડેંગ્યુનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. છતાં મનપા દ્વારા જે સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવ્યા હતા, તેવા સ્થળે ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ફોગીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
આ કામગીરી આખો મહિનો ચાલુ રહેશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજી નદીની ગાંડીવેલનાં કારણે અનેક વિસ્તારોમાં મચ્છરોનો ખુબ જ ત્રાસ વધ્યો હોવાની ફરિયાદો મળી હતી. જેને લઈને આ વિસ્તારોમાં ગાંડીવેલ દૂર કરવા ઉપરાંત ફોગીંગ સહિતની કામગીરી છેલ્લા બે સપ્તાહથી કરવામાં આવી રહી છે. જેને લઈ હાલમાં મચ્છરોનો ઉપદ્રવ ઘટ્યો છે. જોકે આ કામગીરી આખો મહિનો ચાલુ રાખવામાં આવશે. અને મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટેના તમામ બનતા પ્રયાસો કરવામાં આવશે. જેને કારણે મચ્છરજન્ય રોગચાળો મહદઅંશે કાબુમાં આવી જશે. જોકે આ તકે લોકોને પણ સાવચેત રહેવાની અપીલ તેમણે કરી હતી.
ડેન્ગ્યુ મલેરિયા અટકાયતી માટે મનપાની અપીલ
- પાણીની સિમેન્ટની ટાંકી, સિન્ટેક્ષાની ટાંકી, બેરલ, કેરબા તથા અન્ય પાણી ભરેલ તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકીને રાખીએ. હવાચૂસ્ત ઢાંકણ ન હોય તો કપડાથી હવાચુસ્ત ઢાંકીને રાખીએ.
- પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ.
- ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.
- બિનજરૂરી ડબ્બાડુબ્લી, ટાયર, ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરીએ.
- અગાશી, છજજામાં જમા રહેતા પાણીનો નિકાલ કરીએ.
- છોડના કુંડામાં જમા રહેતા વધારાનો પાણોનો નિકાલ કરીએ.
- ડેંગ્યુનું મચ્છર દિવસે કરડતુ હોવાથી દિવસ દરમિયાન પૂરૂ શરીર ઢંકાય એવા ક૫ડાં ૫હેરવા.