માળિયાં મિયાણા તાલુકાના ખાખરેચી ગામના કોળી સમાજનાં અલગ અલગ પરિવારના સભ્યો ટ્રેકટર લઈને માતાના મઢ ખાતે દર્શન માટે ગયા હતા આજે સવારે આં દર્શનાર્થી પરત ફરી રહ્યા હતા ત્યારે ભચાઉ થી કટારીયા ગામ વચ્ચે એક ટ્રકે પાછળથી ઠોકર મારતાં ટ્રેકટરમાં સવાર 15 લોકોને
.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણાના ખાખરેચી ગામના લોકો કચ્છ ખાતે આવેલ માતાના મઢના દર્શન માટે ગયા હતા. આજે આ તમામ દર્શનાર્થી ટ્રેકટરમાં બેસી પરત ખાખરેચી ગામ આવી રહ્યા હતા ત્યારે કચ્છના ભચાઉ અને કટારીયા વચ્ચે એમપી-09-એચજે-9210 નંબરના ટ્રક ચાલકે ટ્રેકટરને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
માતાના મઢના દર્શન કરી હસતા મુખે પરત ફરતા તમામ લોકોની ગણતરીની મિનિટોમાં મરણ ચીસો ગુંજી ઉઠી હતી.આં દુર્ઘટનામાં ખાખરેચી ગામના જીવતીબેન બીજલભાઈ સંખેસરીયા ઉ.60, પ્રભાબેન નવઘણભાઈ ઉચાસણા, ઉ.47 અને વિવેકકુમાર ગોરધનભાઈ સંખેસરીયા ઉ.6 નામના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું તેમજ 15 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ગોઝારા અકસ્માતની જાણ થતા મોરબી હાઇવે પોલીસ અને 108ની ટીમો બનાવ સ્થળે દોડી જઈ ઈજાગ્રસ્ત થયેલા શ્રદ્ધાળુઓને સામખિયાળી, આધોઇ અને ભચાઉ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વાહન અક્સ્માત માટે બદનામ નેશનલ હાઇવે પર સતત જીવલેણ અક્સ્માત નું પ્રમાણ સતત વધી રહ્યું છે ઘટનાને પગલે નેશનલ હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો જે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ અને નેશનલ હાઇવે ની ટીમ દોડી ગઇ હતી અને અક્સ્માત ગ્રસ્ત વાહનોને દૂર ખસેડી વાહન વ્યવહાર ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.