ખાડિયા પોલીસ સ્ટેશને વર્ષ 2016માં પ્રોફેસર જીતેન્દ્ર ગજેરા સામે IPCની કલમ 489(b)(c) તથા 170 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ અજય એ. ત્રિવેદીની દલીલો ગ્રાહ્ય રાખીને જજ સંજયકુમાર ઠક્કરે
.
નકલી નોટ લઇને બે સ્વીચ લેવા આવ્યા હતા કેસને વિગતે જોતા અમદાવાદના ગાંધીરોડ સ્થિત ઇલેટ્રિકની દુકાન ધરાવતા એક વેપારીએ ખાડિયા પોલીસ મથકે ગાંધીનગર રહેતા આરોપી પ્રોફેસર જીતેન્દ્ર ગજેરા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ રાત્રે એક ગ્રાહક તેમની દુકાને બે સ્વીચ લેવા આવે છે. જેની કિંમત 20 રૂપિયા હોય છે. આ ગ્રાહક તેમને રૂપિયા 100ની નોટ આપે છે. જેને હાથમાં પકડીને જોતા તે નકલી હોવાનું માલુમ પડે છે. આ અંગે ગ્રાહકને જણાવતા તે નોટ નકલી હોવાનો ઇનકાર કરે છે અને પોતાની ઓળખાણ PSI તરીકે આપે છે. જેથી દુકાનદાર પોતાના એસોસિયેશનના સભ્યોને બોલાવે છે. તેમજ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરવામાં આવે છે.
રૂપિયા 100ના મૂલ્યની 4 નકલી નોટો મળી આવી હતી પોલીસ આવીને આરોપીની અંગ જડતી કરતા તેની પાસેથી કુલ આવી રૂપિયા 100ના મૂલ્યની 4 નકલી નોટો મળી આવે છે. આ નોટોને FSLમાં મોકલાવતા તે બનાવટી હોવાનું સાબિત થાય છે. કેસની ટ્રાયલમાં આરોપીના વકીલ જણાવે છે કે, RBIની ગાઈડલાઈન મુજબ વ્યક્તિ પાસેથી એક કે બે ચલણી નોટો નકલી મળી આવે તો તેની ઉપર કેસ દાખલ કરવો નહિ. આરોપી પાસેથી જડતી સિવાય કોઈ અન્ય નકલી નોટ મળી આવી નથી. આરોપી ગુન્હાહિત ભૂતકાળ ધરાવતો નથી.
PSI તરીકેની ઓળખ આપી દમ મારવાનો પ્રયાસ કર્યો હતો ટ્રાયલ દરમિયાન કોર્ટમાં ફરિયાદી આરોપીએ આપેલ નકલી નોટ ઓળખી બતાવે છે. આ નોટનો કાગળ તકલાદિ હતો, પ્રિન્ટિંગ અસલી નોટની જેમ ઉપસેલું નહોતું અને સિક્યુરિટી થ્રેડ પણ યોગ્ય નહોતો. આરોપીએ જે PSIનું આઇ કાર્ડ દુકાનદારને બતાવી દમ મારવાની કોશિશ કરી હતી તે આરોપીના ભાઈનું હતું. જે આરોપીના ઘરે આવતા ભૂલી ગયો હતો. વળી આરોપી પાસેથી મળેલી નોટોના નંબર એક સરખા હતા.
આરોપી અગાઉથી નકલી નોટ હોવાનું જાણતા હતા કોર્ટ આરોપીને સજા સંભળાવતા નોધ્યું હતું કે, આરોપીને દુકાનદારે નોટ નકલી હોવાનું જણાવતા આશ્ચર્ય વ્યકત કરવાની જગ્યાએ પ્રતિકાર કર્યો હતો અને પોતે PSI હોવાનો દમ માર્યો હતો. આમ આરોપી અગાઉથી પોતાની પાસે નકલી નોટ હોવાનું જાણતા હતા અને તેને વટાવવા પ્રયત્ન કર્યો હતો. દુકાનદાર જો નકલી નોટ પારખી શકતો હોય તો પ્રોફેસર ના પારખી શકે તેવું માની શકાય નહિ. વળી શા માટે બે સ્વીચ લેવા આરોપી રાત્રે દહેગામથી અમદાવાદના ગાંધી રોડ આવે? રાત્રિના સમયે લોકો નોટો પારખી ના જાય તેથી આરોપીએ રાત્રિનો સમય પસંદ કર્યો હતો.
શિક્ષિત વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહિ આરોપી આવી રીતે દરરોજ 400 કે 500 રૂપિયા પ્રિન્ટ કરીને વટાવવાની પ્રવૃત્તિ કરતા હતા. એક શિક્ષિત વ્યક્તિ પાસેથી આવી અપેક્ષા રાખી શકાય નહિ. આ ગુનો દેશની સમગ્ર આર્થિક વ્યવસ્થાની સામેનો ગુનો છે. માત્ર પ્રોફેસર હોવાથી આરોપીને સજાનો લાભ આપી શકાય નહિ. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં એક અન્ય આરોપી પણ હતો જે પ્રોફેસરનો વિદ્યાર્થી હતો. તેને પ્રોફેસરને રૂપિયા આપ્યા હોવાનું કહેવાયું હતું. જો કે કોર્ટે પુરાવા જોતા તેને સજા કરી નથી.