હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેને પગલે અમદાવાદ શહેરમાં અવિરત વરસાદ વરસ્યો હતો. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ સુધી પહોંચવાના રસ્તાઓ ઉપર પણ પાણી ભરાયું હતું. પરંતુ તેમ છતાં અમદાવાદ એરપોર્ટથી ટેકઓફ થતી
.
અમદાવાદ એરપોર્ટ પર આવતી 34 ફ્લાઇટ વિલંબિત
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ગતરોજ વિવિધ ફ્લાઈટના ટેક ઓફ અને લેન્ડિંગ માટે સફળ રહ્યું હતું. ફક્ત અમદાવાદ આવતી અને જતી જ ફ્લાઈટને ઓપરેટ કરવામાં આવી. આ ઉપરાંત અન્ય સેક્ટરની ફ્લાઈટને પણ ડાયવર્ટ કરવામાં આવતા તેનું લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ ઉપર થયું હતું. જેમાં બેંગ્લોરથી વડોદરા જતી ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ ઉપર ડ્રાઇવર્ડ કરવાની ફરજ પડી હતી, કારણ કે વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસવાને કારણે ફ્લાઈટનું ટેકો અને લેન્ડિંગ મુશ્કેલ હતું. જેથી અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઇટને ડાયવર્ટ કરવાની ફરજ પડી હતી. આજે પણ વિવિધ કારણોસર ભારતમાંથી અને અન્ય દેશમાંથી અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી કુલ 34 ફ્લાઇટ વિલંબિત થઈ હતી. જેમાં અન્ય સેક્ટરમાં વાતાવરણ પ્રતિકૂળ હોવું તથા ક્યાંકને ક્યાંક કોઈ સેક્ટરમાં ફ્લાઇટ વિલંબિત થતાં તે ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ ઉપર તેના નિશ્ચિત સમય કરતા બાદ પહોંચી હોવાથી તે ફ્લાઈટનો ઉપયોગ જ્યારે અમદાવાદથી અન્ય કોઈ સેક્ટરમાં જવા માટે થતો હોય ત્યારે તે ફ્લાઈટ પણ વિલંબિત થાય છે.
દેશ-વિદેશમાં જતી 74 ફ્લાઇટ વિલંબિત થઈ
અમદાવાદથી દેશ-વિદેશમાં જતી કુલ 74 ફ્લાઇટ વિલંબિત થઈ હતી. જ્યારે ગુજરાત રાજ્યભરમાં આજે ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેવામાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી હતી. તેથી અમદાવાદથી દીવ અને દીવથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 60થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાને કારણે તથા ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા અમદાવાદથી દીવ માટે ATR76 એરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. જે ખૂબ જ નાનું હોવાથી ઝડપી પવનમાં ટેક ઓફ અને લેન્ડિંગ કરવા માટે મુશ્કેલી સર્જાય છે તેથી આ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.
ઇન્ટરનેશનલ ફ્લાઈટને હવામાં ચક્કર લગાવવા પડ્યા
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફક્ત ડોમેસ્ટિક જ નહીં પરંતુ ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી ધરાવતું હોવાથી અનેક ફ્લાઈટ એરપોર્ટ ઉપર આવે છે. તેવામાં આજે સવારે અમદાવાદમાં વરસાદી માહોલ હોવાથી ફ્લાઇટનું લેન્ડિંગ તેના નિશ્ચિત સમય કરતા વિલંબિત થયું હતું. આ ઉપરાંત કેટલીક ઇન્ટરનેશનલ ફ્લાઇટે લેન્ડિંગ પૂર્વે હવામાં ચક્કર લગાવવા હતા. કારણકે સવારથી જ શહેરમાં ઝડપી ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે જેથી ફ્લાઈટનું લેન્ડિંગ નિશ્ચિત સ્થાન ઉપર કરવા માટે વાતાવરણ યોગ્ય ન હોવાથી તથા ફ્લાઇટમાં સવાર મુસાફરોના જીવ જોખમમાં ના મુકાય તે માટે ફ્લાઇટને હવામાં ચક્કર લગાવવાનું નિર્ણય લેવામાં આવે છે. તેવામાં આજે એર ઇન્ડિયાની દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટે હવામાં ચક્કર લગાવ્યા હતા. આ ઉપરાંત અબુધાબીથી અમદાવાદ આવતી ઇન્ડિગો અને ઐતિહાસિક એરવેઝની બે ફ્લાઈટને હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા. મહત્વનું છે કે, આજે મહારાષ્ટ્રના મુંબઈમાં પણ વાતાવરણ પ્રતિકૂળ સર્જાયું હતું જેને કારણે મુંબઈ એરપોર્ટ ઉપર ફ્લાઇટ કંઝેશનમાં વધારો થતા ત્યાંથી અમદાવાદ આવતી અને અમદાવાદથી મુંબઈ જતી અનેક ફ્લાઈટ વિલંબિત થઈ હતી. જ્યારે હજુ આવતીકાલે પણ અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી છે તથા દેશના અન્ય શહેરોમાં પણ આગાહીને કારણે ફ્લાઈટને અસર થઈ શકે છે.