અમદાવાદની 7 જાણીતી સ્કૂલોમાં RTE હેઠળ 150થી વધુ બાળકોના ખોટી રીતે ગરીબ બનીને પ્રવેશ થયા છે. સ્કૂલોએ આ અંગે DEOને રજૂઆત કરી છે, જેને લઈને DEO દ્વારા આ અંગે તપાસ કરવામાં આવી રહી છે. ખોટા દસ્તાવેજો રજૂ કરીને પ્રવેશ મેળવનાર વાલીઓ સામે કાર્યવાહી કરવામાં આ
.
7 સ્કૂલોમાં RTEમાં ખોટા એડમિશન થવાની ફરિયાદ અમદાવાદની જાણીતી અંગ્રેજી માધ્યમની 7 સ્કૂલોમાં RTE હેઠળ અનેક એડમિશન થયા હતા. આ એડમિશનમાંથી 150 કરતાં વધુ એડમિશનમાં વાલીઓએ 1,50,000 સુધીની આવકના સર્ટિફિકેટ રજૂ કરીને વધુ આવક હોવા છતાં ખોટી રીતે પ્રવેશ મેળવેલો છે. સ્કૂલો દ્વારા આ મામલે તપાસ કરીને વાલીઓની યાદી બનાવીને ફરિયાદ કરવામાં આવી છે. જેને લઈને DEO દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે .
વાલીઓએ પોતાની આવક ઓછી દર્શાવી આરટીઇ હેઠળ શહેરી વિસ્તારમાં પ્રવેશ મેળવવા માટે વાલીની વાર્ષિક આવક મર્યાદા 1.50 લાખ સુધીની હોવી ફરજિયાત છે. આ માટે વાલીએ મામલતદાર કચેરીથી આવકનો દાખલો મેળવવાનો હોય છે અને જો કોઈ વાલી ઇન્કમટેક્સ રિટર્ન ભરતું હોય તો તે પણ રજૂ કરવું ફરજિયાત છે. જો વાલી ઇન્કમટેક્સ રિટર્ન ના ભરતું હોય તો વાલીએ સોગંદનામુ કરવું પણ ફરજિયાત છે. આમ આ તમામ ડોક્યુમેન્ટના આધારે વાલીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે 150થી વધુ વાલીઓએ પોતાની આવક 1.50 લાખ કરતાં વધુ હોવા છતાં 1.50 લાખ સુધીની આવક મર્યાદાનું સર્ટિફિકેટ મેળવીને તેના આધારે પ્રવેશ મેળવ્યો હોવાની ફરિયાદ થઈ છે.
વાલીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાશેઃ DEO DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં 8500 બેઠક હતી, જેમાંથી 150 બેઠક પર ખોટી રીતે પ્રવેશ મેળવ્યા હોવાની ફરિયાદ થઈ છે. IT રિટર્નના આધાર છુપાવીને અથવા અન્ય રીતે પોતાના બાળકને ધોરણ 1માં પ્રવેશ અપાવ્યો હતો. આગામી સમયમાં તપાસ કરીને હિયરીગ રાખવામાં આવશે. આ હિયરિંગમાં વાલીઓ દોષિત સાબિત થશે તો વાલી સામે પોલીસ કેસ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.
સ્કૂલોના નામ
- ઉદગમ સ્કૂલ
- કેલોરેક્સ સ્કૂલ
- ઝેબર સ્કૂલ
- આર.પી વસાણી સ્કૂલ
- આનંદ નિકેતન સ્કૂલ
- જેમ્સ જીનીસિસ સ્કૂલ
- શાંતિ એશિયાટિક સ્કૂલ
- કે.એન પટેલ સ્કૂલ