કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને છ વર્ષ પૂર્ણ થવા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયું હેઠળ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વેરાવળ શહેર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની બહેનો દ્વારા 60 વર્ષથી વધુ વયની મહિલાઓ
.
આજરોજ રવિવારે વેરાવળ ના પોશ વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે મહિલા મોરચાની બહેનો દ્વારા હાથ ધરવામાં આવેલ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ અંગે માહિતી આપતા વેરાવળ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉષાબેન કુસકીયાએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આજે દેશના દરેક નાગરિકોના જન આરોગ્ય માટે સતત ચિંતિત છે અને આ માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને છ વર્ષ પૂર્વે આમલી બનાવવામાં આવી હતી અને આ યોજના થકી કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે “જનસેવા એ જ પ્રભુ સેવા” ના સૂત્રને સાર્થક કર્યું છે.
ત્યારે આ જન આરોગ્ય યોજના ના છ વર્ષ પૂર્ણ થવા પર સેવા પખવાડિયાની ઉજવણી અંતર્ગત વેરાવળ ખાતે 60 વર્ષથી વધુની વયની મહિલાઓ માટે નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત જેટલા મહિલા તબીબો એ સેવા આપી હતી તો 200થી વધુ મહિલાઓએ આ નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા મોરચાની તમામ બહેનોએ સતત જહેમત ઉઠાવી હતી.