પ્રધાનમંત્રી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત એ.એમ /એન.એસ ઇન્ડિયાના સહયોગથી આર.કે એચઆઇવી એઇડ્સ રિસર્ચ અને કેર સેન્ટર સંસ્થા દ્વારા વિવિધ રાજ્યમાં ગામેગામ જઈ ટીબીના દર્દીઓ માટે ન્યુટ્રીશીયન કીટ આપવાની કામગીરી કરી રહ્યા છે, ત્યારે 19મી ઓક્ટોબરના રોજ સુરત શહેરના અડાજન વિસ્તારમાં આવેલ પફોર્મિંગ આર્ટ સેન્ટરમાં ટીબી મુક્ત ગુજરાત ન્યુટ્રેશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના ગુજરાત રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ, સુરતના મેયર દક્ષેશ માવાણી, આર.કે એચઆઇવી સેન્ટરના ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્ર કુમાર, એએમ/ એનએસ ઇન્ડિયાના હેડ કોર્પોરેટ અફેર ડોક્ટર અનિલ માઠુ, ડોકટર ભાવિન ટીબી જિલ્લા અધિકારી,તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. ટીબીના 500થી વધારે દર્દીઓને આ ન્યુટ્રીશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Source link