બોટાદ જિલ્લાના ગઢડાના હરિપર રોડપર આવેલ સર્વોપરિ ગૌશાળામા અષાઢી બીજના પાવન અવસરે ગૌ શાળાના સંચાલક સંજયભગત દ્વારા “ૐ નમો ભગવતે વાસુદેવાયના બાર લાખ મહા મંત્રનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.
.
અષાઢી બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાના પવિત્ર દિવસે ગઢડાની સર્વોપરિ ગૌ શાળામા અનુષ્ઠાન ચાલતુ હોય, જેમાં આજ અષાઢી બીજ અને ગુરૂ પુષ્યામૃત સિધ્ધિ યોગ હોવાથી આજના પવિત્ર દિવસે અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પરમ નૃગેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાત્મક આશીર્વાદથી ગુજરાત રાજ્ય ગોરક્ષક કમાન્ડો પ્રમુખ અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશન પ્રદેશ પ્રભારી એવા સર્વોપરી ગૌશાળાના સંચાલક પાર્ષદ સંજયભગત દ્વારા ૐ નમો ભગવતે વાસુદેવાય મહામંત્રના બાર લાખ જાપનું અનુષ્ઠાન કરવામા આવ્યું હતું. આ પ્રસંગે ગઢડા મંદિરના સંતો, પાર્ષદો ઉપસ્થિત રહ્યા હતા. ભૂદેવ અતુલભાઇ અને એમના સહયોગી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ મહામંત્ર પુરશ્ચરણ સંપન્ન કરવામા આવ્યું હતું. તેમ સર્વોપરિ ગૌ શાળાના સંચાલક સંજય ભગતે જણાવ્યું હતું.