ભાડે આપેલા મકાનની નોંધ ન કરતા માલિકો સામે ગુનો દેવભૂમિ દ્વારકા જિલ્લો દેશનો છેવાડો અને પાકિસ્તાનની સરહદ નજીકનો વિસ્તાર છે. અહીં પરપ્રાંતીય શખ્સો તેમજ આતંકવાદી પ્રવૃત્તિ કરતા ઈસમો દ્વારા કોઈ ગેરકાયદેસર કૃત્ય કે હુમલાના બનાવને અંજામ ન આપવામાં આવે તે મા
.
જે અંતર્ગત ખંભાળિયા તાલુકાના સલાયા વિસ્તારના અનવર જુસબ સુંભણીયાએ પોતાનું મકાન પરપ્રાંતિય શ્રમિકોને ભાડે આપી તેમજ ઓખાના નવી બજારમાં જગદીશ લાલજીભાઈ સામાણી, મીઠાપુરના સુરજકરાડી વિસ્તારમાં સત્યાભા કાયાભા માણેક, ખંભાળિયા તાલુકાના કજૂરડા વિજયનગર વિસ્તારમાં પરપ્રાંતિય આસામીઓને ઓરડીઓ ભાડે આપવા હરદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, કલ્યાણપુરમાં રાધે કૃષ્ણ સોસાયટીમાં હમીર વજશી કરમુર, લાંબા ગામના અશોક છગનભાઈ ધોકીયા, ભાટિયા ગામના નિલેશ જુઠાભાઈ ચાવડા, કલ્યાણપુર ગાંધવી ગામે રમેશગર જસમતગર રામદતી, તેમજ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ તથા તેના મકાનમાં ભાડુઆત રાખીને પોલીસને જાણ ન કરતા કાના સુખાભાઈ ચાવડા (ઉ.વ. 43) નામના આસામીઓ સામે જે-તે પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
મૂર્છિત અવસ્થામાં દ્વારકા પંથકના મહિલાનું મૃત્યુ દ્વારકા તાલુકાના કલ્યાણપુર ગામે રહેતા આશાબેન દિનેશભાઈ રોશિયા નામના 21 વર્ષના મહિલા સોમવારે સાંજના સમયે તેમના ઘરે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને એકાએક ઉલટી અને ઉબકા ઉપડ્યા બાદ ચક્કર આવતા બેભાન અવસ્થામાં તેમને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ દિનેશભાઈ રામાભાઈ રોશિયાએ દ્વારકા પોલીસને કરી છે.
રાવલના યુવાને અકળ કારણોસર એસિડ પી લેતા મૃત્યુ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાજેશભાઈ પરસોતમભાઈ દુધરેજીયા નામના 30 વર્ષના બાબાજી યુવાને ગત તારીખ 7 ઓક્ટોબરના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના ભાઈ જગદીશભાઈ પરસોતમભાઈ દુધરેજીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.
ખંભાળિયામાં અજાણ્યા યુવાનનું મૃત્યુ ખંભાળિયા શહેર નજીકના જામનગર રેલ્વે ટ્રેક પાસેથી આશરે 30 વર્ષના અજાણ્યા યુવાન કોઈ કારણોસર ઈજાગ્રસ્ત બનતા તેમને ખંભાળિયા બાદ જામનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.