હવામાન વિભાગની આગાહીને લઇને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જૂનાગઢને ફરિવાર મેઘરાજાએ ધમરોળ્યું છે. ગિરનાર પર્વત પર રવિવારે સાંજના 6 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધી 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે તો શહેરી વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વ
.
જૂનાગઢમાં ત્રણ કલાકમાં 7.5 ઇંચ વરસાદ ગિરનાર પર ભારે વરસાદના કારણે ભવનાથ ક્ષેત્રમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો સાથે જ સોનરખ નદીમાં પાણીનો પ્રવાહ વધતા દામોદર કુંડમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને દામોદર કુંડ બે કાંટે વહેતો થયો હતો.
દામોદર કુંડનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું રવિવારે વહેલી સવારથી જૂનાગઢ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ ટ્વીટ કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી. જોકે, સાંજના 6 વાગ્યા બાદ મેઘરાજાએ સટાસટી બોલાવતાં કાળવાનો ભોકરો પણ બે કાંઠે વહેતો થયો હતો. ધોધમાર વરસાદના પગલે જૂનાગઢના ગિરનાર પરથી પાણીના ધોધ વહેતાં દામોદર કુંડનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દામોદર કુંડના પૂલ સુધી પાણી પહોંચી ગયું હતું. બીજી તરફ ગઢડા તાલુકાના પીપરડી ગામે નદીમાં ઘોડાપૂર આવતા પીપરડીથી ઈંગોરાલા જવાનો રસ્તો થયો બંધ થયો હતો.
કારને કાઢવા ગયેલી જેસીબી પણ ફસાઇ ભારે વરસાદના પગલે જૂનાગઢમાં દોલતપરામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા. તો ભવનાથ ભારતી આશ્રમ પાસે પૂરના પાણીમાં તણાઈ ગયેલી કારને કાઢવા આવેલી જેસીબી પણ ફસાયું હતું. બીજી તરફ મોતીબાગ નજીક આવેલા કારવા વોકળાના રોડ પર પાણી ફરી વળ્યા હતા. ત્યારે તંત્રની તકેદારી અને વરસાદી વિરામ લીધા બાદ જૂનાગઢ શહેર તેમજ ભવનાથ ક્ષેત્રમાં પાણી ઉસર્યા હતા.
સોનરખ અને લોલ નદીઓમાં પુષ્કળ પાણી આવ્યું’ ભારે વરસાદના પગલે જૂનાગઢ જિલ્લાના કલેકટર અનિલ રાણાવસીયા જણાવ્યું હતું કે, જૂનાગઢમાં છથી આઠ વાગ્યા સુધીમાં ખૂબ જ ભારે વરસાદ નોંધાયો હતો. ગીરનાર પર્વત પર પણ ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે કાળવા સોનરખ અને લોલ નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવ્યું હતું. પરંતુ બાદમાં વરસાદે વિરામ લેતાં પાણીનો પ્રવાહ ઓછો થયો હતો.
તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ખડેપગે જિલ્લાના કલેકટર અનિલ રાણાવસીયા વધુમાં જણાવ્યું હતું કે, તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા એસ.ડી.આર.એફની ટીમ, મહાનગરપાલિકાની ફાયર ટીમ અને કંટ્રોલરૂમ તમામને એલર્ટ કરવામાં આવ્યા છે. જે જગ્યાએથી રજૂઆતો મળી રહી છે ત્યાં ટીમોને મોકલવામાં આવી છે અને કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સોનરખ, લોલ તેમજ અન્ય નદીઓનું પાણી શહેરમાંથી થઈ વંથલી નજીક ઓજત નદીમાંથી ઘેડ વિસ્તારમાં જાય છે. જેને લઇ આ વિસ્તારના તમામ અધિકારીઓ, સરપંચ, તલાટીઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને તમામ સાવચેતીના પગલાં રૂપે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. જે વિસ્તારોમાં જર્જરીત મકાનો હોય તેવા લોકોને પણ તાત્કાલિક નજીકની શાળા કે અન્ય આસરમાં સલામતીના સ્થળે ખસેડવામાં આવ્યા છે.