સુરતમાં કાપોદ્રા કિરણ ચોક પાસે ઠાકોર દ્વારમાં ખાતુ ધરાવતા સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા વેપારીને તેના હમવતનીઓને મદદ કરવાનું ભારે પડ્યું છે. હમ વતનીઓએ વેપારી પાસેથી 7.33 લાખ હાથ ઉછીના લીધા હતા. છ મહિના થવા છતાંયે પૈસા પરત નહી આપતા વેપારીએ પૈસાની મા
.
પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો સરથાણા જકાતનાકા શ્રધ્ધા રો હાઉસમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના પાડરશીંગના વતની 21 વર્ષીય મિલન અરવિંદ શેખડા ટેક્ષટાઈલ્સના ધંધા સાથે સંકળાયેલા છે અને કાપોદ્રા કિરણચોક પાસે ઠાકોરદ્વાર સોસાયટીમાં ખાતુ ધરાવે છે. મિલનભાઈ પાસેથી ગત તા 26 એપ્રિલના રોજ તેના વતનના અને હાલ કામરેજ સત્યમનગર સોસાયટીમાં રહેતા ગોવિંદ ભલા બોળીયા અને હજા હોળીયાએ રૂપિયા 8.39 લાખ ઉછીના લીધા હતા. જેમાંથી 1.06 લાખ પરત આપ્યા હતા. જયારે બાકીના નીકળતા રૂપિયા 7.33 લાખની અવાર નવાર માંગણી કરવા છતાંયે પરત નહી આપી છેતરપિંડી કરી હતી. કાપોદ્રા પોલીસે મિલનભાઈની ફરિયાદ લઈ બંને સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
ખુશ્બુના અકાળે મોતથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ નવસારીના ભાંગડદામ ગામના નિશાળ ફળિયામાં રહેતી ખુશ્બુ નરેશભાઈ પટેલ(ઉં.વ.21) સુરત મહાનગર પાલિકામાં કોન્ટ્રાકટ હેઠળ નર્સિંગ વિભાગમાં નોકરી કરતી હતી. ખુશ્બુ નોકરી પૂરી કરી પોતાના ઘરે જવા નીકળી હતી. આ દરમિયાન ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે સુરત થી મુંબઈ જતી ચાલુ ટ્રેનમાં ચઢવા જતી વખતે ટ્રેન અડફેટે ચડી હતી. જેથી, તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ખુશ્બુના અકાળે મોતથી પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. આ બનાવ અંગે રેલવે પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
19 વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો સુરત શહેરમાં રાંદેર રોડ પર આવેલા મોરાભાગળ ટેકરા ખાતે અભિષેક હોસ્પિટલ પાછળ આવેલા શીતલ ફ્લેટમાં રહેતી પિતરાઇ બહેનના ઘરે આવેલી સાગબરાની નર્સિંગની 19 વર્ષીય વિદ્યાર્થિની શીતલ ભિમસિંગ વસાવાએ ફાંસો ખાઈ મોતને વહાલું કરી લીધું હતું . સુરત પરીક્ષા આપવા આવેલી વિદ્યાર્થિનીએ પહેલું જ પેપર ખરાબ જતાં આત્યંતિક પગલું ભર્યું હોવાની શક્યતા છે.