લોકસભાની ચૂંટણીને પગલે આચારસંહિતા લાગુ પડતાની સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પરથી રાજકીય નેતાઓ જેવા કે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના નેતાઓના ફોટા અને વિગતો હટાવી દેવામાં આવતી હોય છે. જોકે, 6 જુનના રોજ આચારસંહિતા પૂર્ણ
.
જાહેરમાં ગંદકી બદલ 23 દુકાનો સીલ
શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને AMC દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દક્ષિણ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા મણિનગર, લાંભા, ખોખરા, દાણીલીમડા સહિતના વિસ્તારમાં આજે સોમવારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર રોડ પર ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ કુલ 23 દુકાનો સીલ મારવામાં આવી હતી. રૂ. 81150 દંડ વસૂલવામાં આવ્યો હતો. મણીનગરમાં માર્ટીર્નોઝ પિઝા, પટેલ સોડા શોપ, ઓમ પાન પાર્લર, દાણીલીમડામાં ગુજરાત ટાયર્સ, વટવામાં એમ કે ભોજનાલય, ઇસનપુરમાં ડિલક્સ પાન પાર્લર સહિતના એકમોને સીલ કરવામાં આવ્યા હતા.