14 એપ્રિલના રોજ અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ‘ફાયર સર્વિસ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. જમાલપુર ફાયર સ્ટેશન ખાતે ફાયર બ્રિગેડના ઉત્સવ અધિકારીઓ સહિતના ફાયર સ્ટાફે બે મિનિટનું
.
દેશની માલ-મિલકતનું રક્ષણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્યુ હતું 14મી એપ્રિલ, 1944ના રોજ ઇંગ્લેન્ડથી આવેલા અને મુંબઇના વિકટૉરીયા ડોકયાર્ડમાં લંગારેલા “એસ.એસ.ફોર્ટ સ્ટાઇકીન” નામના સ્ટીમરમા ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી. આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઇ ફાયર સર્વિસના 66 જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ-મિલકતનું રક્ષણ કરવા પોતાની જાતનું બલિદાન આપ્યુ હતું. જેને ધ્યાનમાં રાખી ‘ફાયર ડે’ની ઉજવણી કરવામાં આવે છે.

ફાયર જવાનોને બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી પ્રાપ્ત વિગત મુજબ 1944માં મુંબઈમાં શહિદ થયેલા ફાયર જવાનોની યાદમાં ભારત સરકારના ગૃહ મંત્રાલય તથા ફાયર એડવાઇઝરી કમિટી દ્વારા ભારતભરમા આ દિવસને “ફાયર સર્વિસ ડે” તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં મુંબઇ ડોકયાર્ડની આગમાં વિસ્ફોટની વિનાશક ઘટનામાં શહિદ થયેલ જવાનો ઉપરાંત દેશની તમામ ફાયર સર્વિસમા વર્ષ દરમિયાન પોતાની જાનની પરવાહ કર્યા વગર અન્યની જાન બચાવતા દેશના ફાયર જવાનોને પણ આ વિશે 2 (બે) મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો હતો આ ઉપરાંત ‘ફાયર સર્વિસ ડે’ નિમિતે લોકોને પણ આગ અકસ્માત વિશે વિશેષ જાણકારી આપવામાં આવે છે તેમજ લોકો પણ સાવચેતી માટે પૂરતા પ્રયત્ન કરે તે માટે કાર્યક્રમો તમામ ફાયર સર્વિસીઝ દ્વારા “લોક જાગૃતિ અને લોક શિક્ષણ” ના કાર્યક્રમો કરવામા આવે છે. જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “ફાયર સર્વિસ ડે” નિમિત્તે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ દ્વારા શહિદ દિનની ઉજવણી કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવી હતી. જેમાં ફાયર સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામા આવી હતી અને ફિલ્ડ માર્શલ બ્લડ બેન્કના સહયોગથી રાજકોટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા રકતદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
