શહેરમાં વટવા વિસ્તારમાં આવાસ યોજનાના મકાનો તોડવાની કામગીરી દરમિયાન ખોદેલા ખાડામાં પાણી ભરાઈ ગયું હતું જેમાં પડી જવાથી બાળકીનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ શહેરમાં ડ્રેનેજ અને પાણી સહિત વિવિધ કામો માટે મ્યુનિ. કોર્પોરેશનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટ
.
ખોદકામ કરવામાં આવે ત્યાં યોગ્ય બેરીકેડિંગની SOP બનાવી આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક અધિકારીઓને વિભાગ દ્વારા તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા જ્યાં પણ ખોદકામ કરવામાં આવે ત્યાં યોગ્ય બેરીકેડિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જેના માટે એક ચોક્કસ SOP બનાવવામાં આવે જે સમયથી કામગીરી શરૂ કરવામાં આવે તે સમયથી કામગીરી પૂર્ણ થાય છે તમામ સમય સુધી બેરીકેટ કરવામાં આવે તેના માટે SOP બનાવી ઝડપી અમલ કરવા જણાવ્યું છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં શહેરના કાલુપુર બ્રિજથી સરસપુર મંદિર સુધીના રથયાત્રા રૂટના ડેવલોપમેન્ટના કામગીરીને પણ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં રોડ ફૂટપાટ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
દરેક વોર્ડમાં લોકોને કાપડની થેલીઓ આપવામાં આવશે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં મોટા એલઇડી લગાવવામાં આવશે મુખ્ય દસ રસ્તા ઉપર કોર્પોરેશન દ્વારા વીડિયો મોનિટરિંગ થાય તેના માટે LED લગાવવા માટેની સૂચના પણ સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે. શહેરના પ્લાસ્ટિકમુક્ત બનાવવા માટે હવે દરેક વોર્ડમાં લોકોને કાપડની થેલીઓ આપવામાં આવશે. શોપિંગ ફેસ્ટિવલમાં પણ આ કાપડની થેલીઓનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.
કુલ 119 ઉમેદવારોને પદાધિકારીઓના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરીકોની પાયાની સુવિધા માટે કરવામાં આવતી ફરિયાદોનો તાકીદે નિકાલ થાય અને નાગરીક સેવાનું સ્તર ઊંચુ લાવવા માટે જુદા-જુદા ખાતાઓમાં ખાલી પડેલ જગ્યાઓ ભરીને લોકોને રોજગારી આપવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ ખાતામાં ટેક્નિકલ સુપરવાઈઝરની ખાલી પડેલી 26 અને ઈજનેર ખાતામાં ટેક્નિકલ સુપરવાઈઝરની ખાલી પડેલી 93 ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. લેખિત પરીક્ષા યોજી મેરીટ અનુસાર પસંદગી પામનાર કુલ 119 ઉમેદવારોને આજે મેયર સહિતના પદાધિકારીઓના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.