શૌચાલય માટે લાંચ લેતા ઝડપાયેલા તલાટીને ચાર વર્ષની કેદ ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે રહેતા ખેરાજભાઈ જેસાભાઈ ગોરડીયા નામના આસામીને વર્ષ 2016ની સાલમાં સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શૌચાલય બનાવવા માટે જરૂરી ફોર્મ મેળવ્યા બાદ આ ફોર્મની પૂર્તતા કરવા ત
.
સગીરા પર દુષ્કર્મના આરોપીને દસ વર્ષની કેદ કલ્યાણપુર તાલુકામાં રહેતા એક પરિવારની સગીર વયની પુત્રીને રાવલ ગામે રહેતો વિજય રમેશભાઈ મકવાણા નામનો શખ્સ ગત તારીખ 7-10-2017ના રોજ વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં આરોપી દ્વારા સગીરાને જુદા જુદા સ્થળે લઈ જઈ, અને તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવતા પોલીસે દુષ્કર્મ તથા પોક્સો સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જેને સંદર્ભે તપાસનીસ અધિકારી દ્વારા જરૂરી કાર્યવાહી કરી અને દ્વારકા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસમાં દ્વારકાના એડિશનલ સેશન્સ જજ કે.જે. મોદી દ્વારા ભોગ બનનાર તથા ફરિયાદી અને મેડિકલ ઓફિસરની જુબાની સાથે સરકાર પક્ષે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવેલી દલીલો તથા પુરાવાઓને ધ્યાને લઈને આરોપી વિજય રમેશ મકવાણાને તકસીરવાન ઠેરવ્યો હતો. આ પ્રકરણમાં નામદાર અદાલતે આરોપીને દસ વર્ષની સખત કેદ તથા રૂપિયા 15,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આટલું જ નહીં, કોક બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
પ્રેમલગ્નનો ખાર રાખી અપહરણ બાદ જીવલેણ હુમલો ખંભાળિયા તાલુકાના આંબરડી ગામે રહેતા દિલીપભાઈ ભીમશીભાઈ જોગલ નામના 30 વર્ષના યુવાને થોડા સમય પૂર્વે એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોતા. એ બાબતનું મન દુઃખ રાખી અને મણીપુર (નાના ખડબા, તા. લાલપુર) ગામે રહેતા સવા કારા કાંબરીયા, બાબુ કારા કાંબરીયા, પુના કાંબરીયા, દેવશી વેજા કાંબરીયા, રવિ દેવાણંદ કાંબરીયા, વીરા કાંબરીયા, નરેશ સવા કાંબરીયા, દેશુર સોમાત કાંબરીયા, સાજણ સોમાત કાંબરીયા ભરત વેજા કાંબરીયા, રમેશ કાંબરીયા તેમજ રીંજપર ગામે રહેતા દેવશી ભીમશી વસરા અને પારસ વસરા નામના 13 શખ્સોએ પૂર્વયોજિત કાવતરું રચી અને ગેરકાયદેસર રીતે મંડળી રચીને ફરિયાદી દિલીપભાઈ સાથે સમાધાન કરવાના બહાને તેમના ઘરે આવી અહીં બોલાચાલી કરી હતી.
આ પ્રકરણમાં તા. 8ના રોજ મધ્યરાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે આરોપીઓએ ફરિયાદી દિલીપભાઈ જોગલને બળજબરીપૂર્વક મોટરકારમાં બેસાડીને ફરિયાદી તથા તેમના પત્નીને માર મારી, બંનેનું અપહરણ કરી લીધું હતું. આટલું જ નહીં આરોપીઓએ મોબાઈલની લૂંટ ચલાવી ફરિયાદી તથા સાહેદ તેમના પત્નીને ગોંધી રાખી, બેફામ માર માર્યો હતો. જેના કારણે દિલીપભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી. આ પ્રકરણમાં આરોપી સાજણ કાંબરીયાએ ફરિયાદી ઉપર ગાડી ચડાવી દેવાનું કહે તેમની પર ગાડી ફેરવી દઈ અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ બનાવમાં આરોપીઓ દ્વારા કુહાડા, લાકડાના ધોકા જેવા હથિયારનો ઉપયોગ થયો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે તમામ 13 શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આ પ્રકરણમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓને રાત્રે જ દબોચી લીધા હતા. આ ફરિયાદ સંદર્ભે આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
મનદુઃખ સંદર્ભે બે પરિવારો વચ્ચે બઘડાટી કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા દેવાભાઈ મીણંદભાઈ કારાવદરા નામના 65 વર્ષના મેર વૃદ્ધને છેલ્લા કેટલાક સમયથી જમીન બાબતનું જૂનું મનદુઃખ ચાલ્યું આવતો હોવાથી આ જ વિસ્તારમાં રહેતા લખમણ મીણંદભાઈ કારાવદરા, કેશુ મીણંદભાઈ, અરજન મીણંદભાઈ અને આવડા લખમણભાઈ નામના ચાર શખ્સોએ તેમને બિભત્સ અપશબ્દો કાઢી, તલવાર તથા કુહાડો લઈને આવી, હુમલો કરીને ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં સામા પક્ષે લખમણભાઈ મીણંદભાઈ કારાવદરા (ઉ.વ. 65, રહે. નગડીયા ગામ, વાડી વિસ્તાર) એ દેવાભાઈ મીણંદભાઈ કારાવદરા અને ભરત દેવાભાઈ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ફરિયાદી અને આરોપીઓ વચ્ચેના જમીન બાબતના જુના મનદુઃખનો ખાર રાખીને આરોપીઓએ મારક હથિયારો સાથે આવીને ફરિયાદી લખમણભાઈને ઇજાઓ કર્યાની તથા તેમના પુત્રને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે કલ્યાણપુર પોલીસે બંને પક્ષે કુલ છ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
યાત્રાળુને રૂમ ભાડે અપાવવા બાબતે યુવાન પર હુમલો દ્વારકામાં આવેલા કાનદાસ બાપુના આશ્રમ પાસે રહેતા ગગાભા લખમણભા માણેક નામના 23 વર્ષના હિન્દુ વાઘેર યુવાન દ્વારા બહારગામથી આવેલા એક યાત્રાળુને રૂમ રખાવી દેવા બાબતે બોલાચાલી કરી, ધંધા ખારના કારણે આરોપી કિશનભા માણેક અને નીતિનભા બઠીયા દ્વારા બામ્બુ (લાકડી) વડે માર મારી, ઈજાઓ કર્યાની ફરિયાદ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
કારને આગ લગાવીને નુકસાની કરતા શખ્સ સામે ફરિયાદ કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા રણછોડભાઈ મનજીભાઈ કણજારીયા નામના 44 વર્ષના સતવારા યુવાન દ્વારા પોતાના ઘર પાસે પાર્ક કરવામાં આવેલી જી.જે. 32 બી. 7806 નંબરની મોટરકારને ગત તા. 4 ઓક્ટોબરના રોજ વહેલી સવારે સમયે કોઈ કારણોસર આગ લગાવી, ત્રણેક લાખ જેટલું નુકસાન કર્યાની તથા તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દ્વારકામાં રહેતા દીપક વાલજીભાઈ પરમાર નામના શખ્સ સામે નોંધાવવામાં આવી છે. જે અંગે કલ્યાણપુર પોલીસે રણછોડભાઈ કણજારીયાની ફરિયાદ પરથી દીપક વાલજી સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો દ્વારકા તાલુકાના ગઢેચી ગામે રહેતા હિતેશ ઉર્ફે રાજવીર લખમણભાઈ ચાસીયા નામના 23 વર્ષના શખ્સને પોલીસે રૂપિયા 13,720 ની કિંમતની વિદેશી દારૂની 20 બોટલ સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.