હળવદના ખારી વાળી વિસ્તારમાંથી ગુમ થયેલા યુવાનનો નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી કરીને તેને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની હળવદ તાલુકા પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્
.
હળવદના ખારી વાળી વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ દયારામભાઈ ચાવડા (19) નામના યુવાનનો હળવદમાં આવેલા પરમેશ્વર સોસાયટી પાસે પ્રગતિ હોટલની પાછળના ભાગમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેથી કરીને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ, મૃતક યુવાન ગઈકાલે બાઇક લઈને નીકળી ગયા બાદ ગુમ થઈ ગયો હતો. જેથી કરીને તેને શોધવા માટેની કવાયત ચાલી રહી હતી. દરમિયાનમાં તેનો મૃતદેહ નર્મદાની કેનાલમાંથી મળી આવતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. પોલીસે તે અંગેની નોંધ કરીને રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.