સિહોરમાં હાઇ-વેની દિન-પ્રતિદિન વધતી જતી બિસ્માર હાલત છતાં તંત્ર કાર્યવાહી કરવામાં ઉણું ઉતર્યુ હોય તેમ લાગે છે.સિહોરમાંથી પસાર થતા ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બદતર હાલતમાં બન્યો છે અને તેમાં પણ ખાસ કરીને ચોમાસામાં તો આ રોડની દશા ન
.
આમ પ્રજા લાચાર બનીને આ ખાડા તારવતા-તારવતા રસ્તા પર પોતાનું વાહન ચલાવે છે. જીવના જોખમે ટુ-વ્હીલર માંડ-માંડ ચલાવે છે.શાસક પક્ષના કે વિરોધ પક્ષના પૂર્વ કોર્પોરેટરો પ્રજાની મુશ્કેલી વખતે કેમ બહાર આવતા નથી ? તે આવનાર ચૂંટણીમાં ક્યા મોઢે મત માગવા જશે તે એક યક્ષ સવાલ છે.સિહોરની પ્રજા હવે રાજકીય નેતાઓને ઓળખી ગઇ છે સિહોર માટે તમે કંઇ કર્યું નથી,પ્રજા હેરાન-પરેશાન થાય છે ત્યારે સિહોરની જનતા માટે આપણે ઝંડો લઇને બહાર આવીએ.
અધિકારી,પદાધિકારીઓ અહીંથી જ પસાર થયા છે પણ ખાડા નથી દેખાતા આ સિહોરમાં ચીફ ઑફિસર, મામલતદાર, પ્રાંત અધિકારીની પોસ્ટ છે. બધા જ વડલા ચોકથી ટાણા ચોકડી સુધીના વિસ્તારમાં રોજ પસાર થતાં હશે. પરંતુ સૌ મૂક પ્રેક્ષક બનીને બેઠા છે. અહીંથી પસાર થતાં સિહોર તાલુકાના અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ નિષ્ક્રિયતા બતાવે છે.
અધિકારીઓને અવાર નવાર રજૂઆત કરી છે સિહોરના વડલા ચોકથી ટાણા ચોકડી સુધીના માર્ગને સારો બનાવવા માટે નેશનલ હાઇ-વે ઑથોરિટીના અધિકારીઓ સાથે અવારનવાર ટેલિફોનિક રજૂઆત કરેલ છે. મુખ્ય પ્રશ્ન ગટર ઊભરાવાનો છે આથી ડામર રોડ ટકતો નથી. તેઓના જણાવ્યા મુજબ હાલમાં ચોમાસાની ઋતુ ચાલતી હોય, ચોમાસા પછી સીસી માર્ગ બનાવાશે અને કાયમી ચીફ ઑફિસર આવતા નથી આથી સિહોરની સમસ્યા ઉકેલાતી નથી.> આશિષભાઇ પરમાર, પ્રમુખ,સિહોર શહેર ભાજપ