નવી કંપનીઓ બનાવી અને તેમાં રોકાણ કરવાના બહાને વિવિધ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અમુલ ડેરીનો કોન્ટ્રાક્ટ અને ગોવા કન્વેન્શન સેન્ટર બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું કહી અને ર
.
કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ હોવાની લાલચ આપી દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુરા ખાતે રહેતા જીગ્નેશભાઈ કરમુરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, વર્ષ 2017માં સુરત ખાતે કેતન સોલંકીને તેઓ મળ્યા હતા. લોકડાઉન બાદ સુરત ખાતે એક કંપની ખોલવાની છે, જેમાં હિરેન જોગાણી નામનો વ્યક્તિ ડાયરેક્ટર છે અને વિવિધ કંપનીનો તેમને કોન્ટ્રાક્ટ મળ્યો છે. જો આ કંપનીમાં તમે રોકાણ કરશો તો તમને સારું નાણાકીય વળતર મળશે. જેથી, તેઓએ થોડું રોકાણ કર્યું હતું. ત્યારબાદ હિરેન અને દિપક શાહ નામના વ્યક્તિને તેઓએ મુલાકાત કરાવી હતી, તેમાં અમૂલ કંપનીમાં તેમનો કોન્ટ્રાક્ટ હોવાનું અને ગોવા કન્વેન્શન સેન્ટરનો કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ હોવાનું કહ્યું હતું.
રોકાણકારો સાથે છેતરપિંડી થતા ફરિયાદ નોંધાવી વિવિધ કંપનીમાં રોકાણ કરવાના બહાને અને ખરીદી તેમજ રોકાણના નામે તેમની પાસેથી ટુકડે-ટુકડે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવવામાં આવ્યા હતા. કુલ 81.32 લાખ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. થોડું ઘણું વળતર પણ તેમને આપવામાં આવ્યો હતો પરંતુ, ત્યારબાદ તેમણે વળતર આપવાનું બંધ કરી દીધું હતું. જેથી, નવરંગપુરા ખાતે આવેલી ઓફિસમાં તપાસ કરતા ઓફિસ બંધ હતી અને માલિકો જતા રહ્યા હતા. જેને લઇ અને તેમની સાથે તેમજ અન્ય રોકાણકારો સાથે પણ છેતરપિંડી થયું હોવાની જાણ થતા આમ અમને તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે