તારીખ 28/09/2024ના રોજ ડીઝલ લોકો કેર સેન્ટર, સાબરમતી અમદાવાદ ખાતે રેલવે વિભાગ સાબરમતી લોકોમોટીવ શેડના અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જેમાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલના સાયબર પ્રમોટર અને રાષ્ટ્રીય સ્કાઉટ ગાઈડના ઓર
.
આ કાર્યક્રમમાં ડીઝલ શેડ સાબરમતીના પદાધિકારીઓ અશોક કુમાર (વરિષ્ઠ મિકેનિકલ એન્જિનિયર (ડી) સાબરમતી), લોહીત યાદવ (વિભાગીય મિકેનિકલ એન્જિનિયર (ડી) સાબરમતી), ભુવન ચંદ્ર જોશી (આચાર્ય, ટ્રેકશન ટ્રેનિંગ સેન્ટર, સાબરમતી), કમલકુમાર મીના (મદદનીશ સામગ્રી વ્યવસ્થાપન (ડી) સાબરમતી) સહિતના અન્ય અધિકારીઓ પદાધિકારીઓ અને કર્મચારીઓ સાથોસાથ રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઈડના સચિવ સલીમભાઈ મોમીન, ગુજરાત રાજ્ય કારોબારી યુવરાજસિંહ પૂવાર તેમજ રેલવે વિભાગમાં ચાલતા સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ તેમજ સિવિલ ડિફેન્સના હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે અશોક કુમારનાઓએ જણાવ્યું કે, ગુજરાત પોલીસ તરફથી શરૂ કરવામાં આવેલા નવા અભિગમને તમામ રેલવેના સ્ટાફ વતી આવકારવામાં આવે છે તેમજ આવી પ્રવૃત્તિ વધુમાં વધુ થશે તો સાયબર ક્રાઇમને રોકવા રાજ્ય સક્ષમ રહેશે.