સુરત શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ડેન્ગ્યુના કારણે વધુ બેના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં એક સ્મીમેર હોસ્પિટલની રેસીડેન્ટ મહિલા તબીબનો પણ સમાવેશ થાય છે. જ્યારે અન્યમાં સરથાણા વિસ્તારમાં રહેતા એક યુવકનું પણ ડેન્
.
રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો મળતી માહિતી પ્રમાણે, સ્મીમેર મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગમાં અમદાવાદ વસ્ત્રાલની રહેવાસી રેસિડેન્ટ તબીબ ધારા નરોત્તમભાઈ ચાવડા કામગીરી કરતી હતી. તેણીને ત્રણ ચાર દિવસથી તાવ આવી રહ્યો હતો. જોકે, તે જાતે દવા લઈ રહી હતી. આ દરમિયાન તેની તબિયત વધુ લથડી હતી અને ચક્કર આવવા લાગ્યા હતા. જેથી રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું ડો. ધારા ચાવડાની હાલત ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેણીને સ્મીમેર હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત ગંભીર બની હતી અને તેણીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ડેન્ગ્યુથી મોત થયું હતું.
બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો અન્ય બનાવમાં, મૂળ અમરેલીના સાવરકુંડલા અને યોગીચોક વિસ્તારમાં આવેલી તિરુપતિ સોસાયટીમાં 26 વર્ષીય ખોડીદાસ મનસુખભાઈ સાવલિયા મામા સાથે રહેતો હતો. ખોડીદાસ ઓનલાઇન વેપાર ધંધો કરી વતનમાં રહેતા પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. ખોડીદાસને બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો. જેથી રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો. જેથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ત્રણથી વધુના ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યા અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલમાં તાવના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાંથી શંકાસ્પદ ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ત્રણથી વધુના ડેન્ગ્યુના કારણે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.