જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર, પંચમહાલ ગોધરા અને જિલ્લાની ટીમ દ્વારા ગોધરા તાલુકાના ટીંબા રોડ પર દાંડીયા બજાર વિસ્તારમાં આવેલા “યાદગાર કચરિયું“ નામની તેલની ઘાણીમાં આકસ્મિક તપાસ કરતા ધંધાના સ્થળે સંગ્રહિત ખાદ્યતેલના જથ્થા અંગે કોઈ સ્ટોક રજીસ્ટ
.
”યાદગાર કચરિયું” નામની ધાણીમાંથી ઉત્પાદન કરવામાં આવેલ ખાદ્યતેલના કરેલ સંગ્રહિત જથ્થાનો ભારત સરકાર દ્વારા ખાદ્યતેલ અને તેલીબિયાના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી ખાદ્યતેલનો જથ્થો જાહેર કર્યો ન હતો. જેથી તેઓએ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 હેઠળ કરેલ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓનું (નિયમન કરવા બાબત)નો હુકમ 1977 ની કંદિકા 3,6,તથા 9નો ભંગ કરેલ હોય આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955ની કલમ 3 હેઠળ થયેલ ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓનું નિયમન કરવા બાબત હુકમ 1977ની કલમ 11 હેઠળ 1235 લીટર જેની કિંમત રૂપિયા 2,16,800નો ખાદ્યતેલનો જથ્થો સીઝ કરી ગોધરા તાલુકાના ટીમ્બા રોડ પર આવેલા યાદગાર કચરિયું નામની તેલની ઘાણીના માલિક મુસ્તાક યુસુફ મન્સૂરી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.