ગુજરાત સરકાર દ્વારા અતિવૃષ્ટિથી થયેલા નુકસાનની ખેડૂતોને રાહત મળી શકે તે માટે એક લાખ કરોડની નુકસાની સામે ફકત 1419 કરોડની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનો પણ આ સહાયમા સમાવેશ કરવામાં આવ્યો હોય ત્યારે સહાય મેળવવા માટે ખેડૂતોએ ફોર્મ ભરવ
.
સુરેન્દ્રનગર જિલ્લા કીશાન કોંગ્રેસના રામકુભાઇ કરપડાએ જણાવ્યું હતું કે, ફકત 6 દિવસની ફોર્મ ભરવાની સમય મર્યાદામા વધારો કરવો જોઈએ. ફોર્મ ભરવા માટે VC પાસે ખેડૂતો જશે સાથે તમામ સર્વે નંબરના સાત-બાર મેળવી તલાટી પાસેથી પિયતનો દાખલો અને પાક વાવેતરનો દાખલો મેળવવા પડશે. ત્યારે દાખલા તરીકે મુળી તાલુકાના દુધઈ ગામે કુલ ખેડૂતોના ખાતા 1100 ઉપરાંત છે. જેના સર્વે નંબર કુલ 2600 હોય ત્યારે તલાટીને એક પિયત દાખલો એક પાક વાવેતર દાખલો મળી કુલ બે દાખલા કાઢવા પડે તો કુલ 5200 દાખલા તલાટીને ખેડૂતોને આપવા પડે. અને એક તલાટી પાસે બેથી ત્રણ ગામોનો ચાર્જ હોય છે. તો આ દાખલા કોઈપણ સંજોગોમાં ખેડૂતોને મળી શકે નહીં સામે ઓનલાઇન ફોર્મ ભરવામાં પણ કુલ 1100 ફોર્મ ભરવામાં સર્વરડાઉનના પ્રોબ્લેમ ઉભા થાય છે.
ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને કૃષિમંત્રી રાઘવજીભાઈ જાહેરાત કરી હતી કે, ખેડૂતોને પિયતમા 22,000 અને બિનપિયતમાં 11,000 સહાયની વાત કરી છે. જેમાં તમામ સર્વેમા બિનપિયત વિસ્તાર બતાવી દેવામાં આવેલો હોય અને 11,000માથી ખેડૂતોને નજીવી રકમ 7,500 સહાય પેટે મળશે અને બે હેકટરની મર્યાદામાં જ મળશે. તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને દિવાળી પહેલા કોઈ નાણા નહીં મળે અને દિવાળી એ હોળી સાબિત થશે. જેમાં તલાટી, VC અને ખેડૂતો વચ્ચે તહેવારોના દિવસોમાં ઘર્ષણ જોવા મળશે.
આ અંગે ખેડૂત આગેવાન ગણપતભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, અમારે સાતમના તહેવારથી એકધારો જ વરસાદ પડી રહ્યો છે. વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે. નુકશાન થયાં પછી સરકારે નુકશાન સામે સહાયની પણ જાહેરાત કરેલી છે. જાહેરાત કર્યા પછી આટલો સમય કેમ લાગ્યો એ મને ખબર પડતી નથી.