મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠના 105માં સ્થાપના દિવસની ઉજવણી રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત, મંડળના ટ્રસ્ટીઓ, સેવકો, વિધાર્થીઓ સહિત ગાંધીજનોની ઉપસ્થિતિમાં તારીખ 18 અને 19 ઓકટોબર એમ બે દિવસ કરવામાં આવશે. સ્થાપના દિવસ ઉજવણ
.
પહેલીવાર સ્થાપના દિવસની સ્વતંત્ર રીતે ઉજવણી ગૂજરાત વિદ્યાપીઠના ઈતિહાસમાં પહેલી વાર સ્થાપના દિવસની સ્વતંત્ર રીતે ઉજવણી કરવામાં આવનાર છે. 18 ઓકટોબરે સવારે 8 વાગે ઐતિહાસિક પ્રાણજીવન વિદ્યાર્થી ભવનમાં કુલપતિ ડો. હર્ષદ પટેલના હસ્તે ધ્વજવંદન સાથે ધ્યેયોનું પ્રતિજ્ઞાવાંચન કરવામાં આવશે. તેમજ કુલપતિના અધ્યક્ષસ્થાને ગુજરાત વિદ્યાપીઠના એક સૈકાથી વધુના સામાજિક દાયિત્વ વિશે વિદ્યાપીઠ મંડળના સભ્યો અવલોકનો રજૂ કરશે.
ચાર વિષયો પર તજજ્ઞો દ્વારા વિમર્શ સામાજિક સંવાદ શ્રેણી અંતર્ગત 1 સ્વતંત્રતા અને ગૂજરાત વિદ્યાપીઠ, 2 શિક્ષણ અને ગૂજરાત વિદ્યાપીઠ, 3 સ્વાવલંબન અને ગૂજરાત વિદ્યાપીઠ, 4 સામાજિક નિસબત અને ગૂજરાત વિદ્યાપીઠ એમ ચાર વિષયો પર તજજ્ઞો દ્વારા વિમર્શ યોજાશે. આ ઉપરાંત બપોર બાદ ગુજરાત વિદ્યાપીઠના શૈક્ષણિક વિભાગો, વિસ્તરણ પ્રવૃત્તિઓ, ગ્રામ સેવા કેન્દ્રો અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની કામગીરીનું પ્રદર્શન યોજાશે, જે આમંત્રિતોને વિધાર્થીઓ નિહાળશે.
21મીથી 26 ઓકટોબર સુધી ગાંધી ગ્રામજીવન પદયાત્રા સ્થાપના દિવસનો સમાપન સમારોહ તારીખ 19 ઓકટોબરે સવારે રાજ્યપાલ અને ગૂજરાત વિદ્યાપીઠ કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મોરારજી દેસાઈ મંડપમાં યોજાશે. જેમાં રાજ્યપાલના વરદહસ્તે ગૂજરાત વિદ્યાપીઠ વેબસાઈટ, વિભાગ માર્ગદર્શિકા, પદયાત્રા માર્ગદર્શિકા, ગુજરાત વિદ્યાપીઠ મંડળ સભ્ય પરિચય પુસ્તિકા, સાબરમતી સામયિક, સંવાદિતા પુસ્તક શ્રેણીનું વિમોચન કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યપાલ આગામી 21મીથી 26 ઓકટોબર દરમિયાન યોજાનારી ગાંધી ગ્રામજીવન પદયાત્રાની ટુકડીને પ્રસ્થાન કરાવશે.