મેટ્રો પ્રોજેક્ટમાં મસ્કતિ હોસ્પિટલ પાસે નડતરરૂપ થતી પાઈપની શિફ્ટ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. આગામી મંગળ અને બુધવારે 750 મી.મી. વ્યાસની વોટર સપ્લાય મેઈન લાઈનની જોડાણની કામગીરી હાથ ધરવામાં આવશે. જે મંગળવારે સવારે 8 કલાકેથી હાથ ધરવામાં આવશે. જેથ
.
આ વિસ્તારોમાં પાણીકાપ રહેશે મંગળવારે બપોરે અને સાંજે પૂર્ણ બંધ સેન્ટ્રલ ઝોન (બપોરે 12:30થી 3:45): રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી (ઉત્તર વિભાગ) સાંજનો સમય: રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી, દિલ્હીગેટથી ચોકબજાર, રાજમાર્ગથી ઉત્તર તરફના વિસ્તારમાં મહિધરપુરા, રામપુરા, હરીપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર, નાણાંવટ, અને આજુબાજુનો સમગ્ર વિસ્તાર
નોર્થ ઝોન (કતારગામ) સાંજનો સપ્લાય (સમય સાંજે 6:25થી 11): કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી, કતારગામ, બાળાશ્રમ તથા તેની આસપાસના વિસ્તારો
બુધવારે સવારે અને બપોરે પાણી પુરવઠો બંધ રહેશે (દક્ષિણ વિભાગ)- સવારનો સપ્લાય (સમય સવારે 5થી 8) રેલ્વે સ્ટેશન, સુમુલ ડેરી રોડ, બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રુદરપુરા, સોની ફળિયા, અને આસપાસના વિસ્તારોમાં પાણીકાપ રહેશે.
આગ લાગવા મામલે માલિકને નોટિસ ફટકારી 26 સપ્ટેમ્બરના રોજ સીમાડા વાલમ નગર વિભાગ 2ના એક મકાનના ટેરેસમાં ગેરકાયદેસર રીતે પતરાના શેડમાં સાડી પર સ્ટોન ચોટાડવાના ખાતામાં લાગેલી આગમાં આઠ લોકો દાજી ગયા હતા. આ ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે વરાછા ઝોન બીએ માલિકને નોટિસ ફટકારી છે જ્યારે માલિકે સ્વેચ્છાથી ડિમોલેશનની બાંહેધરી પણ આપી હતી અને અંદાજિત 1250 ચોરસ ફુટ ટેમ્પરરી સ્ટ્રક્ચરનું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.