છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડા ખાતે ગત 1 ઓક્ટોબરના રોજ પ્રસૂતાને ઝોળીમાં નાખીને લઈ જતાં રસ્તામાં બાળકને જન્મ આપી મહિલાનું મોત થઈ ગયું હતું. આ ઘટનાં મીડિયામાં ચમકતા હાઈકોર્ટે સુઓમોટો લીધો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે, આ સમાચાર વાંચીને અમારું માથું શરમથ
.
તુરખેડામાં 17 વર્ષમાં પહેલી વખત 108 પહોંચી તુરખેડાના બસ્કરિયા ફળિયાની ફરીથી એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં બપોરના સમયે ઝોળીમાં નાખીને ઉંચકીને 3 કિલોમીટર સુધી ગામની બહાર આવેલા મંદિરે લાવવામાં આવી હતી. કારણ કે, ત્યાં સુધી કોઈપણ વાહન આવી શકે તેમ નથી. જે બાદ 108ને ફોન કરતાં 17 વર્ષે પહેલી વખત તુરખેડા ખાતે 108 પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, આ જ સમયે અગાઉથી કડીપાની આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ પણ પહેલીવાર સર્વે કરવા માટે ગઈ હતી. ત્યારે સૌપ્રથમ મહિલાને એમ્બ્યુલન્સ લઇ જવાઈ હતી. ત્યાં સુધીમાં 108 આવી જતાં મહિલાને 108માં ખસેડાઈ હતી. જે બાદ ગામના ઉબડખાબડ રસ્તામાં પરથી 108 તો નીકળી ગઈ હતી, પરંતુ એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. જેને ગામલોકોએ ધક્કા લગાવીને રવાના કરી હતી.
રસ્તામાં 108માં જ મહિલાની પ્રસુતિ કરાવાઈ.
માતા અને દીકરીનો આબાદ બચાવ બીજી બાજુ મહિલાને કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જતી વખતે તુરખેડાથી લગભગ 10 કિલોમીટર દૂર ચીખલીની આસપાસ પહોંચતાં મહિલાને 108માં જ દુ:ખાવો વધી જતાં ઇ.એમ.ટી. જગદીશ પરમારે પાઇલોટ ચંદ્રસિંહ રાઠવાની મદદથી રસ્તામાં 108માં પ્રસુતિ કરાવતાં મહિવાએ દીકરીને જન્મ આપ્યો હતો. હાલ બંનેની હાલત સ્વસ્થ છે. આ વખતે 17 વર્ષે પહેલીવાર 108 ગામના મંદિર સુધી પહોંચતાં મહિલાને સમયસર પ્રાથમિક સુવિધા મળતાં માતા અને દીકરી બંનેનો આબાદ બચાવ થયો હતો.
સ્થાનિક લોકોએ ધક્કા મારીને ટેકરા ચઢાવીને એમ્બ્યુલન્સને રવાના કરી.
પ્રસૂતાને સમયસર સારવાર મળતાં જીવ બચ્યો છોટા ઉદેપુર 108 એક્ઝિક્યુટિવ મોહમ્મદ હનીફ બલુચીએ જણાવ્યું હતું કે, છોટા ઉદેપુર જિલ્લામાં વર્ષ 2008થી 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો હતો. જિલ્લામાં અત્યારે 18 એમ્બ્યુલન્સ સેવામાં છે. આ 108માં કુલ 81 જેટલા કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. જિલ્લામાં લગભગ બધા જ ગામોમાં 108 પહોંચે છે, ફક્ત ચોમાસામાં જ નદી નાળા અને કાચા રસ્તાને કારણે તકલીફ પડે છે, બાકી બધે 108 પહોંચે છે.
18.50 કરોડના ખર્ચે 9 કિલોમીટરનો રસ્તો મંજૂર.
ગામમાં 3 કિમી સુધી તો કોઈ વાહન આવી શકતા નથી મહત્વનું છે કે, તુરખેડા ખાતેનો રસ્તો ખૂબ જ ખરાબ, ડુંગરાળ અને પથરાળ છે. જેના કારણે કોઈપણ વાહનના ટાયર આ પથરાળ રસ્તા પર સ્લીપ થાય છે અને ફસાઈ જાય છે. ગામમાં 3 કિલોમીટર સુધી તો કોઈ વાહન આવી શકે તેવી સ્થિતિ છે જ નહિ. જેથી મહિલાને 3 કિલોમીટર સુધી ઝોળીમાં ઉંચકી લાવવામાં આવી હતી. જે બાદ બાકીના ચાર કિલોમીટર મહિલાને 108માં બેસાડીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જો કે પહેલી વખત 108 આવતાં ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે.
રસ્તાના અભાવે ફરી એક સગર્ભાને 3 કિમી સુધી ઝોળીમાં ઉંચકીને લઈ જવાઈ
રસ્તાના અભાવે તુરખેડાની અભાગી પ્રસૂતાએ દમ તોડ્યો હતો આઝાદીનાં આટલાં વર્ષો બાદ અને વિકાસની હરણફાળ ભરતા ગુજરાતમાં એક જિલ્લો એવો પણ છે ત્યાં ‘વિકાસ ઇન વેઇટિંગ’ છે. પ્રસવ પીડા શું હોય તે તો એક પ્રસૂતા જ જાણે, પ્રસવ પીડા ઊપડે એટલે સમયસર એમ્બ્યુલન્સ કે અન્ય કોઇ વાહન પહોંચે તેવી પણ સગવડ છોટાઉદેપુરના તુરખેડા ગામમાં આ નફ્ફટ તંત્ર કરી શક્યું નથી. તો શું હવે આને વિકાસ કહીશું?. આ વાત અહીં નથી અટકતી. પરિવારજનો ઝોળી બનાવી પ્રસૂતાને દવાખાને લઇ જવાનો પ્રયાસ કરે છે પણ પ્રસવ પીડા વેઠતી વેઠતી તે અભાગી પ્રસૂતા રસ્તામાં જ દમ તોડી દે છે.
તો આવો સૌપ્રથમ એ કિસ્સા વિશે જાણીએ જેણે ગુજરાતને કલંકિત કરી નાખ્યું.
તુરખેડા ગામમાં આજે પણ આંતરિક રસ્તો નથી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટાઉદેપુરના ઉટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીનાં 77 વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળે છે. જેને લઇને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કોઈ બીમાર પડે ત્યારે ઝોળી બનાવીને ઊંચકીને 5 કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે. અને આ સમસ્યા કોઇક વાર કોઇના મૃત્યુનું કારણ પણ બને છે. પણ જાણે કે આ વિસ્તાર ગુજરાતમાં આવતો ના હોય તેમ નફ્ફટ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.
નવજાત બાળકીએ જન્મતાંની સાથે જ માતાનો ખોળો ગુમાવ્યો.
નવજાતે જન્મતાંની સાથે જ માતાનો ખોળો ગુમાવ્યો તુરખેડા ગામના બસ્કરિયા ફળિયામાં રહેતા કિશનભાઇ ભીલની પત્ની કવિતાબેનને પ્રસૂતિની પીડા ઊપડી હતી. ત્યારે પરિવારજનો તેમજ ગ્રામજનો પ્રસૂતાને ઝોળીમાં નાખીને ઊંચા ઊંચા ડુંગર ચઢીને ખડલા લઈ જતાં હતાં તે દરમિયાન રસ્તામાં જ પ્રસૂતિ થઈ ગઈ હતી. રસ્તામાં પ્રસૂતિ થતાં નવજાત બાળકીનો તો જન્મ થઇ ગયો, પરંતુ મહિલા મૃત્યુ પામી. આ કરુણ ઘટનામાં નવજાત બાળકીએ જન્મતાંની સાથે જ માતાનો ખોળો ગુમાવી દીધો. આ શરમજનક ઘટના વિકાસના મોટા મોટા દાવાઓ કરતા ગુજરાતમાં જોવા મળી છે. જ્યાં રસ્તાના અભાવે પ્રસૂતા મહિલાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
પીડિત પરિવારનો આક્રંદ.
મીડિયા અહેવાલને આધારે સુઓમોટો દાખલ દિવ્ય ભાસ્કર અને ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલને આધારે સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી છે. જજ બિરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું હતું કે તેમનું માથું આ સમાચાર વાંચીને શરમથી ઝૂકી ગયું છે. મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિને દિવ્ય ભાસ્કર અને ઇન્ડિયન એક્સપ્રેસમાં અહેવાલ આવ્યો હતો કે આદિજાતિના જિલ્લા છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઊપડતાં તેને ઝોળીમાં નાખીને પરિવારના લોકો ચાલતા 5 કિમી દૂર લઈ જતા હતા, જ્યાં 108 એમ્બ્યુલન્સ આવવાની હતી.
રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ નથી ત્યાંથી 108 મહિલાને પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ જવાની હતી, જે 25 કિમી દૂર હતું, પરંતુ રસ્તામાં જ મહિલાને પ્રસૂતિ થઇ ગઈ, તેણે દીકરીને જન્મ આપ્યો અને મૃત્યુ પામી. આ તેની છેલ્લી યાત્રા બની રહી છે. કેટલાંક વર્ષોથી ગામડાના લોકો સરકાર પાસે રોડની માગ કરી રહ્યા હતા. ટેન્ડર નીકળે પાંચ વર્ષ થઇ ચૂ્ક્યાં છે, પણ કશું જ થયું નથી. આ ગામડામાં પ્રાથમિક સારવાર કેન્દ્ર અને રોડ જેવી પાયાની મૂળભૂત સુવિધાઓ નથી. આ ગામડામાં ત્રીજો બનાવ બન્યો છે. આ ગામડું નર્મદાના કિનારે આવેલું છે. નર્મદામાં જ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આવેલું છે અને આપણે વિકસિત ગુજરાતમાં સમાનતાની વાત કરીએ છીએ.
કાચા અને પથરાળ રસ્તાના કારણે એમ્બ્યુલન્સ ફસાઈ.
પીડિત પરિવારની મુલાકાત લઈ તકલીફ જાણવામાં આવે હાઇકોર્ટે રજિસ્ટ્રાર જ્યુડિશિયલને આ બાબતને સુઓ મોટો પિટિશન તરીકે લેવા આદેશ આપ્યો હતો. ગુજરાતના ચીફ સેક્રેટરી આ બાબતે હાઇકોર્ટને 17 ઓકટોબરે જવાબ આપે. કયા સંજોગોમાં આ દુઃખદ ઘટના બની એનો રિપોર્ટ ચીફ સેક્રેટરી ચીફ જજની કોર્ટમાં મૂકશે. કોર્ટના આ હુકમની કોપી એડવોકેટ જનરલને પણ મોકલી આપવામાં આવે, સાથે જ ગુજરાત લીગલ સર્વિસ ઓથોરિટીના મેમ્બર સેક્રેટરી દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીનો સંપર્ક સાધીને આ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત લઈને તેમની તકલીફ જાણવામાં આવશે. ઉપરાંત ગામડામાં વસતા અન્ય લોકોની પણ તકલીફો જાણવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે ગામડામાં કેવી સુવિધાઓ છે.
108 એમ્બ્યુલન્સમાં 20 ઓગસ્ટ સુધીમાં 1.43 લાખ બાળકોનો જન્મ થયો રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે 2007ની 29 ઓગસ્ટે 108 ઇમરજન્સી સેવા શરૂ કરવામાં આવી હતી.આ ઇમરન્સી સેવાનું લોકાર્પણ હાલના વડાપ્રધાન તથા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી 17 વર્ષમાં અંદાજે 15.52 લાખથી વધુ લોકોના જીવ બચ્યા છે, જ્યારે 20 ઓગસ્ટ સુધીમાં 1.43 લાખ બાળકોનો જન્મ એમ્બ્યુલન્સમાં થયો છે.
ગુજરાતમાં આપત્તિગ્રસ્ત અને આપાતકાલીન સ્થિતિમાં કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે તાત્કાલિક મેડીકલ સારવાર અને મદદ માટે સૌ ના હૈયે અને હોઠે ચડતો એકમાત્ર ટોલ ફ્રી નંબર એટલે 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ. આપત્તિમાં લાખો લોકોના જીવન બચાવનાર 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સમાન બની ગઈ છે.