નવરાત્રિની બીજી રાત્રીએ ધરમપુર ચોકડી પાસેથી પસાર થતી કારના ચાલકે ટ્રાફિકને નડતર રૂપ કાર પાર્ક કરનાર યુવકને ટ્રાફિકને નડતર રૂપ કાર પાર્ક કરેલી કાર ખસેડવા જણાવતા ટ્રાફિકને નડતર રૂપ કાર પાર્ક કરનાર કારચાલક સાથે થયેલી બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જે બાબ
.
વલસાડના હાલર વિસ્તારમાં રહેતા 28 વર્ષીય અક્ષય કદમ તેના મિત્ર યોગેશ આહીર સાથે તેની કાર ન. GJ-15-CB-5151 લઈને ખેરગામમાં નવરાત્રીના ગરબા રમી પરત વલસાડ આવ્યા હતા. બંને મિત્રોને ભૂખ લાગી હતી ધરમપુર ચોકડીથી હોટલ ગિરિરાજ તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન ભાનુશાલી સમાજની વાળી આગળ મુખ્ય માર્ગ ઉપર કાર ન. GJ-15-CJ-9787ના ચાલક કેતન ભાનુશાલી ટ્રાફિકને નડતર રૂપ કાર મૂકી રહ્યો હતો. અક્ષય કદમે ટ્રાફિકને નડતર રૂપ કારને યોગ્ય જગ્યાએ પાર્ક કરવા જણાવ્યું હતું. જેને લઈને કેતને ટ્રાફિકને નડતર રૂપ કાર મુજતા રસ્તા ઉપર ટ્રાફિક જામ થઈ રહ્યો હોવા બાબતે સમજાવવા જતા કેતન ભાનુશાલી અને અક્ષય કદમ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી દરમ્યાન કેતન અને અક્ષય વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. કેતન ભાનુશાલીએ ભાનુશાલી વાળીમાં ગરબા રમી રહેલા સમાજના અન્ય યુવકોને બોલાવીને અક્ષય અને તેના મિત્ર યોગેશ આહીરને માર માર્યો હતો. ઘટના અંગે સીટી પોલીસની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને પક્ષકારોને આગેવાનો અને સમાજના અગ્રણીઓ સાથે સમાધાનની વાત ચાલી રહી હતી. મારનારીની ઘટનાના 19 દિવસ બાદ બંને પક્ષકારો વચ્ચે સમાધાન ન થતા અક્ષય કદમે કેતન ભાનુશાલી સહિત 4 યુવકો સામે BNSની કલમ 115(2), 352, 351(3), 54, 324(4) મુજબ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સીટી પોલીસની ટીમે ફરિયાદ નોંધી સાક્ષીઓના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.