અમદાવાથી હાંસલપુર થઈ કચ્છ-ભુજ તરફ અાવતી જતી અેક્સપ્રેસ અેસ.ટી. બસોને મુસાફરોના હિતમાં વાયા વિરમગામ લેવા તમામ વિભાગીય નિયામકોને અમદાવાદ અેસ.ટી. વિભાગીય નિયામકે અનુરોધ કર્યો હતો.
.
કચ્છ અેસ.ટી. વિભાગીય નિયામક ઉપરાંત નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, હિંમતનગર, ગોધરા, ભાવનગર વગેરેને કરાયેલા અનુરોધમાં જણાવાયું હતું કે, અવારનવાર ઉચ્ચ કક્ષાઅેથી અને સલાહકાર સમિતિની બેઠકમાં પણ રજુઅાતો થઈ હતી, જેથી સંબંધિત તમામ વિભાગીય વિભાગને અમદાવાદથી અને અાગળથી અાવતી કચ્છ-ભુજ તરફ જતી અાવતી અેસ.ટી. બસોને વાયા વિરમગામ કરવા કહેવાયું હતું. વિરમગામના મુસાફર જનતા અને તેની અાસપાસના તાલુકાના ગામોને સીધી કચ્છ-ભુજ, મોરબી તરફ જતી અાવતી સર્વિસોને લાભ મળે અેવા હેતુથી ફરી અનુરોધ કરાયો છે કે, અમદાવાદથી હાંસલપુર ચોકડી થઈ કચ્છ-ભુજ તરફ જતી અાવતી સર્વિસોને વાયા વિરમગામ કરવા અનુરોધ છે.