નવરાત્રિ એટલે કે માતાજીની ભક્તીનો તેહવાર છે, પરંતુ વર્તમાન સમયમાં અર્વાચીન ડાંડિયા રસનો ક્રેઝ દિનપ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ભક્તિ કરતા મોજ શોખનો તહેવાર નવરાત્રિ બની ગયો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના જુદા જુદા વિસ્તારોમાં આજની તારી
.
જો કે, મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં જયરાજસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા અર્વાચીન રાસોત્સવની જાકમજોળની જેવું જ પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે અને તેમાં બહેનો દીકરીઓ વિના મુલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા લેતી હોય છે. જેથી મોરબીમાં આરાધનાના નામે આવક રળતા રાસોત્સવના આયોજકો માટે “મા ગરબી મંડળ” પ્રેરણા સમાન છે.
મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેના મોટાભાઈ મહાવીરસિંહ જાડેજા અને તેની ટીમ દ્વારા “મા ગરબી”નું આયોજન કરવામાં આવે છે. જેમાં આસપાસના વિસ્તારમાં રહેતી બહેન દીકરીઓ ફ્રી સ્ટાઈલ ગરબા લેવા માટે આવતા હોય છે. જેથી અર્વાચીન રાસોત્સવમાં રૂપિયા ખર્ચીને જવાના બદલે મોરબીના દરેક વિસ્તારમાંથી લોકો અહીં ગરબા રમવા માટે આવે છે અને ફ્રિ સ્ટાઇલ ડાંડીયા રાસ તેમજ પ્રાચીન ગરબાની રમઝટ બોલાવતા હોય છે. આટલું જ નહિ આ ગરબીમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો સહિતના લોકો અચૂક હાજર રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં આરધનાના નામે કમાણી કરવા માટે અર્વાચીન ડાંડિયા રાસના આયોજનો છેલ્લા વર્ષોથી કરવામાં આવે છે. જો કે, આવા આયોજકો માટે “મા ગરબી મંડળ” પ્રેરણા સમાન છે. જો આવી જ રીતે બહેન દીકરીઓ વિન મુલ્યે ગરબા રમી શકે તેવું આયોજન કરવામાં આવે તે જરૂરી છે.