પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. આ ઘટનામાં એરગન, લાકડીઓ અને પથ્થરમારો થયો હતો. અથડામણમાં કુલ 5 લોકો ઘાયલ થયા છે.
.
એરગનથી થયેલા ફાયરિંગમાં બે વ્યક્તિઓને ગોળી વાગી હતી. એક વ્યક્તિને પગના ભાગે અને બીજાને પેટના ભાગે ગોળી વાગી હતી. પેટમાં ગોળી વાગેલા ઈસમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ વાગડોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને જૂથોના ટોળાને વિખેરી નાખ્યા હતા ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ધારપુર હોસ્પિટલના ડો.રમેશભાઈના જણાવ્યા મુજબ, બાકીના 4 ઈસમોએ પ્રાથમિક સારવાર બાદ રજા લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું છે. પાટણથી વધારાનો પોલીસ કાફલો પણ ગામમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.
બનાવની જાણ થતા સ્થાનિક વાગડોદ પોલીસે જિલ્લાની એલસીબી, એસઓજી સહિતની આસપાસના પોલીસ માથકોની પોલીસ ગામમાં બંદોબસ્ત માટે ખડકી દેવામાં આવી હતી.
બંને પક્ષે સામ સામે ગુનો નોંધાવ્યો : આર.કે. સોલંકી આ મામલે વાગડોદ પોલીસ મથકના પી.આઇ.આર કે સોલંકીએ જણાવ્યું હતું કે, મેસર ગામમાં થયેલી સામસામે બે જૂથ વચ્ચેની અથડામણમાં બંને પક્ષો દ્વારા એકબીજા ઉપર સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. બંને પક્ષોની થઈ કુલ 70થી 75 જેટલા આરોપીઓ વિરુદ્ધ જીવલેણ હુમલો તેમજ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.