સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વર્ધમાન મહિલા મંડળ દ્વારા ખાખરા અને અડદના પાપડ બનાવી તેનું વેચાણ કરવાની શરૂઆત કરી હતી. જેમાં ધીરે ધીરે અન્ય મહિલાઓ સંસ્થા દ્વારા જુદી જુદી પ્રકારના અથાણા, ફરસાણ સહીતની વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરવામાં આવ્યું હતુ. ઉત્ત
.
આ ગૃહ ઉદ્યોગમાં હાલ દિવાળીના પર્વ દરમ્યાન ફરસાણમાં વિવિધ વસ્તુઓ જેવી કે પૂરી, સેવ, ગાઠિયા, ચેવડો, શક્કરપારા તેમજ મીઠાઈમાં કાજુ કતરી, મોહનથાળ, ઘૂઘરા, મહેસુબ જેવી મીઠાઈ બનાવવામાં આવે છે. સીઝનમાં 1500થી 1700 કિલો ફરસાણ તેમજ એક હજાર કિલો જેટલી મીઠાઈ બનાવીને વ્યાજબી ભાવે તેમજ સારી ક્વોલિટીની વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. સીધા જ પ્રત્યક્ષ રીતે 50થી વધુ મહિલાઓને રોજગારી પુરી પાડવામાં આવે છે. ગૃહ ઉદ્યોગ દ્વારા અહીંની સ્થાનિક મહિલાઓને કામ આપી સ્વાવલંબી બનાવવી જેથી મહિલાઓ સ્વમાન અને ખુદ્દારીથી જીવે તેવો અમારો ઉદ્દેશ છે. સાથે સંસ્થામાં કામ કરવા આવતી મહિલાઓ પણ અહીયા કામ કરીને રોજગારી મેળવી રહી છે.
ગૃહ ઉદ્યોગ દ્વારા સીઝનમાં મરચું, હળદર, તેમજ અથાણાની સીઝનમાં વિવિધ અથાણાં અને દિવાળી પર ફરસાણ બનાવવામાં આવે છે. આ ઉદ્યોગ થકી આખું વર્ષ સ્થાનિક મહિલાઓને વિવિધ કામો થકી રોજગારી મેળવી રહ્યા છે. જેમાં અથાણાં બનાવવા તેનું પેકિંગ કરવું તેમજ રાયતા મરચા બનાવવા વિવિધ ફરસાણ બનાવવા અને તેનું વેચાણ કરવામાં આવે છે. સ્થાનિક મહિલાઓ આ કાર્ય થકી રોજના 300થી 400 રૂપિયા મેળવે છે.