બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર તરીકે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપતાં જ ચૌધરી સમાજના ભાજપના બે નેતાઓએ બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ (આંજણા પટેલ) અને ભાજપના આગેવાન જામાભાઈ ચૌધરીએ અપક્ષ તરીકે ફો
.
ભાજપના બે નેતાઓએ બળવો કર્યો વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને તો ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબેન ઠાકોર સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. એટલે કે ઠાકોર સમાજના પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર હવે ઠાકોર V/S રાજપૂત ઉમેદવાર વચ્ચે જંગ જામશે. જો કે, ભાજપના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અને જામાભાઈ ચૌધરીએ બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં ત્રિપાંખિયા જંગની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. વાંચો સંપૂર્ણ અહેવાલ
વાદળી કોટીમાં (વચ્ચે) માવજી પટેલ.
પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું વાવ અને થરાદમાં ચૌધરી સમાજના આગેવાન અને વાવના પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ દ્વારા પણ ભાજપમાંથી ટિકિટની માગણી કરવામાં આવી હતી. પરંતુ, ભાજપે અહીં સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતારતા જ માવજી પટેલે અપક્ષ તરીકે ફોર્મ ભરી લડવાની વાત કરી હતી. ગતરોજ તેમણે જણાવ્યું હતું કે, સૌ કોઈની માગણી હતી કે માવજીભાઈને ટિકિટ મળે. પાર્ટીને જે ગમ્યું હશે તે નિર્ણય કર્યો હશે. લોકોની લાગણી હતી કે, હું ઉભો રહું. હું પ્રજાની લાગણી સંતોષવા માટે ઉભો છું. ભાજપનું કોઈ પ્રેશર ન નડે.
પૂર્વ સાંસદ સહિતના નેતાઓ સાથે માવજી પટેલ જોવા મળ્યા આ બાદ ગઇકાલે મોડી સાંજે થરાદ ખાતે આવેલી માવજી પટેલની શૈક્ષણિક સંસ્થામાં બનાસકાંઠા પૂર્વ સાંસદ પરબત પટેલ, મહામંત્રી કનુ વ્યાસ અને ભાજપ આગેવાન વસંત પુરોહિત સાથે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ જોવા મળ્યા હતા. જેના બાદ આજ રોજ ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને પૂર્વ જિલ્લા મહામંત્રી અમરત દવે પણ બેઠક કરી હતી. ભાજપ આગેવાનોએ માવજી પટેલ સાથે ખાનગી બેઠકને લઈને અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
કોણ છે માવજી પટેલ? માવજીભાઈ પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચુક્યા છે. ખેડૂતોના ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સ મુક્ત કરાવવામાં એક અગ્રીમ ભૂમિકામાં સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ ચિમનભાઈ પટેલ સરકારમાં ચિમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા હતા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી જેતે સમયે માવજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટાભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે. જેઓ વર્તમાનમાં ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. જોકે, હવે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
ચૌધરી સમાજના જામાભાઈ ચૌધરીએ પણ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું વાવ વિધાનસભા બેઠક પર ટિકિટ ન મળતા નારાજ થયેલા ભાજપના જ આગેવાને જામાભાઈ ભુરાભાઈ પટેલ (ચૌધરી)એ પણ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે. જામાભાઈ ચૌધરી સુઈગામ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે. જામાભાઈએ કહ્યું હતું કે, સર્વસમાજે નક્કી કર્યું છે એટલે મેં ઉમેદવારી નોંધાવી છે.