મોરબીના ઊંચી માંડલ ગામ નજીક યુવાને જાહેરમાં અને પીપળીયા ગામે રહેતા યુવાને તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે, જેથી કરીને મોરબી તાલુકા પોલીસે આપઘાતના બંને બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
.
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક સીરામીક કારખાના સામે ખરાબાની જગ્યામાં ઝાડ સાથે દોરી બાંધીને મોનુભાઈ વિજયકુમાર સિંઘ (20) રહે.નેક્ષોન સીરામીક સ્ટાફ ક્વાર્ટ્સમા ઊંચી માંડલ તાલુકો મોરબીવાળાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ વી.ડી. ખાચર દ્વારા કરવામાં આવી હતી
આવી જ રીતે મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા રવજીભાઈ કરસનભાઈ મુછડીયા (37) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.