કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સોમવારે સંસદમાં પોતાની સ્પીચમાં હિન્દુઓ હિંસક હોવાના કહેવાતા કરેલા નિવેદનના વિરોધમાં આજે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો પ્રદર્શન કરવામ
.
હિન્દુ વિરોધી નિવેદન
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોમવારે સંસદ ભવનમાં પોતાની 90 મિનિટની સ્પીચમાં જણાવ્યું હતું કે, હિન્દુઓ હિંસક છે. રાહુલ ગાંધીના આ કહેવાતા નિવેદનને લઈને સમગ્ર દેશમાં ભાજપા અને ભાજપા સાથે જોડાયેલા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ વંટોળ શરૂ થયો છે. રાજ્યના કેટલાક શહેરોમાં રાહુલ ગાંધી સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વડોદરા શહેર યુવા ભાજપા મોરચા દ્વારા પણ આજે સાંજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચીને રાહુલ ગાંધીના હિન્દુ વિરોધી નિવેદનનો પ્રચંડ વિરોધ કર્યો હતો.
ભારે સૂત્રોચ્ચાર કર્યા
શહેર ભાજપા યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં દાંડિયા બજાર ચાર રસ્તા પાસે એકત્ર થયા હતા તેઓની સાથે શહેર ભાજપા અગ્રણીઓ તેમજ કાઉન્સિલરો હેમીશાબેન ઠક્કર, જાગૃતિબેન કાકા તેમજ હર્ષદ પરમાર સહિતના ભાજપના અગ્રણીઓ જોડાયા હતા. દાંડિયા બજાર ચાર રસ્તાથી કાર્યકરો રાહુલ ગાંધી મુર્દાબાદ.. કોંગ્રેસ મુર્દાબાદ.. રાહુલ ગાંધી માફી માગે… તેવા સૂત્રોચારો સાથે અને સૂત્રોચાર લખેલા પ્લે કાર્ડ સાથે લકડીપુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. અને ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપા કાર્ય કરોના વિરોધ પ્રદર્શનને લઈને રસ્તા ઉપરના ટ્રાફિક વ્યવહાર ઉપર પણ અસર પહોંચી હતી.
સખ્ત શબ્દોમા વખોડીએ છે
શહેર ભાજપા યુવા મોરચાના પ્રમુખ સહીત ભાજપાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા પછી પણ છોકરમત ભાષામાં નિવેદનો કરી રહ્યા છે. અને તે પણ ખાસ કરીને હિન્દુ વિરોધી નિવેદનો કરીને હિન્દુઓની લાગણી દુભાવી છે. ત્યારે રાહુલ ગાંધી સમગ્ર દેશ અને દેશના હિન્દુઓની માફી માગે. જો તેઓ માફી નહીં માગે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે આવીને અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને રાહુલ ગાંધી સમગ્ર દેશના હિન્દુઓની માફી માગે તેવી માંગણી કરી છે. અમે તેઓના નિવેદનને સપ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ.
પોલીસ કાર્યવાહી કરે
ભાજપાના આ કાર્યક્રમ સામે શહેર કોગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, અમારા પ્રમુખ રાહુલ ગાધીએ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહને નકલી હિન્દુ કહ્યા છે. આખમા આખ મિલાવીને કહ્યું છે. અમને હિન્દુ હોવાનો ગર્વ છે. પરંતુ, વાત એ છે કે, આજે કોગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ભાજપા કાર્યકરો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે. નવા કાયદા પ્રમાણે ગુનો બને છે. પોલીસ પાસે પ્રદર્શનમાં જોડાયેલા કાર્યકરોના નામ ન હોય તો હું આપવા તૈયાર છું.