પ્રવર્તમાન ચોમાસામાં વોર્ડના પ્રશ્નો અંગે કાઉન્સિલરો દ્વારા સભામાં રજૂઆતો કરવામાં આવે છે. ત્યારે કાઉન્સિલરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે વિવિધ વોર્ડના કાઉન્સિલરો સાથે સ્થાયી અધ્યક્ષે બેઠક કરી હતી. આ બેઠકમાં સ્મશાન રિનોવેશન, ખૂલ્લી ચેનલ ઉપર સ્લેબ,
.
અધિકારીઓ હાજર રહ્યા
વડોદરા મહાનગરપાલિકા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વોર્ડના કાઉન્સિલરો, ડે. મ્યુનિ. કમિશનર દક્ષિણ ઝોન, આસીસટન્ટ મ્યુનિસિપલ કમિશનર દક્ષિણ ઝોન, વોર્ડ ઑફિસર તથા અન્ય અધિકારી કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. કાઉન્સિલરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો અંગે ચર્ચા કરી હતી.
લારીઓથી લોકો પરેશાન
સ્થાયી સમિતીના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે, મ્યુનિસિપલ સભાસદો દ્વારા વોર્ડમાં ગેરકાયદેસર રીતે રોડ ઉપર ઉભી રેહતી શાકભાજીની લારીઓના કારણે ઘણી અગવડ પડે છે. જે અંગે તેઓના વિસ્તારમાં નવીન શાકમાર્કેટ બનાવવામાં આવે અને આ ઉભી રહેતી લારીઓને યોગ્ય સ્થળે ખસેડવા આવે, જેથી નાગરિકોને અગવડતા ન પડે. જે માટે તાત્કાલિક ધોરણે શાકમાર્કેટ માટે યોગ્ય પ્લોટ શોધી આયોજન કરવા માર્કેટ સુપ્રિટેન્ડન્ટને સૂચના આપવામાં આવી છે.
સ્મશાનનું સમારકામ થશે
આ ઉપરાંત કાઉન્સિલરો દ્વારા કરેલ અન્ય સૂચનો બાબતે વોર્ડ નંબર 18માં આવેલા માંજલપુર સ્મશાનમાં જરૂરી કામગીરી કરાવવા તથા વાસના સ્મશાનના નવીનીકરણ સંદર્ભે સૂચના આપવામાં આવી છે. સાથે દક્ષિણ ઝોનમા બનાવવામાં આવનાર સ્વિમિંગપુલ પણ વોર્ડ નંબર 18માં યોગ્ય સ્થળે આયોજન કરવા સૂચના આપવામાં આવી છે.
ઘનિષ્ઠ સફાઇ કરો
વધુમાં અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આસિસટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને વોર્ડ ઑફિસરને ગેરકાયદેસર ઉભી રહેતી લારીઓ અને પથારા અંગે સંકલન કરી ઝડપી કામગીરી કરવા સાથે વોર્ડ વિસ્તારમાં આવેલ કચરાના ઓપન સ્પોટ વહેલી તકે નાબૂદ કરવા અને સઘન રીતે સફાઈ કરવા સૂચના આપવામાં આવી છે.
ખાડા પુરાણ કરો
દરમિયાન વોર્ડ નંબર 9 ના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે, નરસિંહ ચૌહાણ, અને સુરેખાબેન પટેલ દ્વારા અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રીને પોતાના વિસ્તારના વિવિધ કામો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જે અંગે અધ્યક્ષે તાત્કાલિક ધોરણે પ્રશ્નોનું નિરાકરણ લાવવાના હેતુથી ઉન્ડેરા વિસ્તારમાં વુડા દ્વારા કરવામાં આવી રહેલ વિકાસના કામોના ખાડા પુરાણ તેમજ જરૂરી સાફ સફાઈ સંદર્ભે વુડાના અધિકારી અને વડોદરા મહાનગરપાલિકાના ડે. મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરને જાણ કરી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી તાત્કાલિક ઇજારદારની પાસે કામગીરી પૂરી કરાવવા સૂચના આપી હતી.
ચેનલ ઉપર સ્લેબ બનશે
કાઉન્સિલર શ્રીરંગ આયરે દ્વારા ઉંડેરા તળાવથી ઇશાનીયા શાંતિ સુધી વરસાદી ચેનલ પર સ્લેબ ભરવા તથા ગોત્રી વિસ્તારની ઓપન ચેનલને સ્લેબ ભરવા માટે રજૂઆત કરી હતી. જે રજૂઆતને ગંભીરતાથી લઈ અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી દ્વારા તાત્કાલિક આ વરસાદી ગટર ઉપર સ્લેબ ભરવાની કામગીરી માટે અધિકારીને સૂચના આપી હતી. તે સાથે પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિવિધ જગ્યાઓએ ડીપ રેન વોટર રિચાર્જ વેલ સંદર્ભે કાર્યપાલક ઇજનેરને કામગીરી માટે જરૂરી આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. આમ વિવિધ વોર્ડના કાઉન્સિલરો સાથે બેઠક કરી સ્થાયી સમિતી અધ્યક્ષ ડો. શિતલ મિસ્ત્રીએ બેઠક કરી હતી. તેઓના વોર્ડ વિસ્તારોના વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો હતો.