જગત જનની જગદંબાની આરાધનાના પવિત્ર નવરાત્રિની આઠમ નિમિત્તે ગુરુવારે રાત્રે પાટણના ચાણસ્મા રોડ પર આવેલા રાજપુર ગામે બ્રહ્માણી માતાજીની પરંપરાગત પલ્લી ભરાઈ હતી. જેમાં મોટીસંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા.
.
પાટણ તાલુકાના રાજપુર ગામે નવરાત્રિની આઠમ નિમિત્તે ગુરુવારે રાત્રે ભક્તિમય માહોલમાં માતાજીની પલ્લી ભરાઈ હતી. જે પલ્લી ગામના મોટા મઢ માંથી નીકળી ગામ પાદરે આવેલ બ્રહ્માણી માતાજીના મંદિર પહોંચી હતી. જ્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે માતાજીની પરંપરાગત પલ્લી ભરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. માતાજીના દર્શન પ્રસાદનો લાભ ભાવિક ભક્તિઓએ લીધો હતો. માતાજી નો પલ્લી નો પ્રસાદ પણ જાતે ચૂલા પર તૈયાર કરવામાં આવે છે પલ્લી બાદ આ પ્રસાદ ગામ ના પાટીદાર પરિવાર ને આપવામાં આવે છે.